SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮ ) છઠ્ઠા સ્વમનું રહસ્ય કવિવર આ પ્રમાણે દર્શાવે છેઃ— છઠ્ઠું સ્વમે ચંદ્ર વિલાકી નીલ કમળ વિકાસેજી, તીમ વિ જીવના હૃદયકમળમાં, તુજ સુત એમ પ્રકારોજી; સુણા ભવિ પ્રાણીજી રે. (૬) મળ-પુષ્પ જેમ ચંદ્રદર્શનથી અતિશય પ્રકૃદ્વિત થાય છે, તેમ શ્રી તીર્થંકર પ્રભુના દર્શનમાત્રથી ભવિ જીવનાં હૃદયરૂપી કમળો પ્રફુલ્લિત થશે, એમ આ ચંદ્રનું સ્વપ્ત સૂચવે છે. ચંદ્રમાં કુદરતી રીતે જ એવું સામર્થ્ય અથવા પ્રભાવ રહેલો છે કે તેનો ઉદય થતાં વાર કમળની પાંદડીઓ વિકસિત–પુલકિત તથા વિસ્તારિત થયા વિના રહેતી નથી. ચંદ્રને એ માટે કશો પ્રયત્ન કરવો પડતો નથી; તેવી જ રીતે પવિત્ર આત્માઓ અને નિર્દોષ પુરૂષસિંહોમાં કોઈ એવું સામર્થ્ય પ્રકટે છે કે તેમના દર્શન માત્રથી વિ જીવોનાં અંતઃકરણમાં કુદરતી રીતે પ્રમોદભાવ તથા ભક્તિભાવ સ્ફુર્યા વિના રહેતો નથી. પવિત્ર આત્માઓ ભલે વાણીથી કે ક્રિયાથી કાંઈ ઈસારો સરખો પણ ન કરે, તથાપિ તેમની શાંત-સૌમ્ય-પ્રભાવિ શિષ્ટ—ચંદ્રોપમ કાંતિ જ જગતના મુમુક્ષોઓને એવું અદ્ભુત આકર્ષણ કરે છે કે ભિવ જીવો એવા નિઃસ્પૃહી તથા વીતરાગ પુરૂષના ચરણુનો આશ્રય લીધા વિના રહી શકતા નથી. આજે આપણે એવા નિર્દોષ પુરૂષરૂપી ચંદ્રના અભાવે ભવાટવીના અંધાર પ્રદેશમાં ભટકીએ છીએ. ચંદ્રના પ્રકાશની રાહ જોતાં આપણાં અંત:કરણોરૂપી કમળો સંકોચાઈ જવા લાગ્યાં છે! પરંતુ એટલું સૌભાગ્ય છે કે તીર્થંકર ભગવાનની મૂર્ત્તિ તથા તેમની અમૃતમયી સૂત્રખઢવાણી જ્યાંસુધી વિદ્યમાન છે, ત્યાંસુધી હૃદયકમળો કરમાઈ જાય એવો ભય રાખવાનું કારણ નથી, હે ભગવન! હું અનંત જ્ઞાન, દર્શન તથા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org ક EID
SR No.005381
Book TitleChaud Swapnanu Rahasya
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1915
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy