SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, બાજુમાં બીજું શ્રીનેમનાથનું દહેરાસર છે. તે સિવાય બીજા દહેરાસર ન્હાના અને ઘર દહેરાસરો ગણુય છે. વળી શહેરની અંદર પાણું મેળું છે. તેમ ઇલેકટ્રીસીટી ટેલીફોન વિગેરે પણ શહેરની અંદર છે. બીજુ ખાસ જેવા જેવું કંઈ નથી. તા. ૨૫-ર-૨૧ ને દિવસ અત્રે રહી તા. ૨૬ને દિવસે સાંજની ગાડીએ સાડા છ વાગે બેસી રાત્રે ત્રણ વાગ્યે ફલોધી (મેટ્રારેડ ) સ્ટેશને ઉતર્યા. ફલોધી (મેટારોડ સ્ટેશન ) જોધપુર બીકાનેર લાઈનમાં એક જંકશન છે. ધર્મશાળા સ્ટેશન ઉપર સુગનલાલ ડાગા બીકાનેરવાલાની છે. તેમાં ૫૦ થી ૫ માણસ સમાઇ શકે છે. સીધુ સામાન બાજુમાં મલે છે. દહેરાસર એક છે, અને ધર્મશાળાથી થોડે દુર આવેલું છે. જ્યાં આગળ પણ એક મોટી ધર્મશાળામાં ચાર માણસ સમાઈ શકે છે. સીધું સામાન અંદરજ મલે છે. દહેરાસરની અંદર મુળનાયક પાર્શ્વનાથની પ્રતિમાજી છે. ગામ નાનું છે અને સ્ટેશનથી એક માઇલ થાય છે, તા. ૨૭-૨-૨૧ ને દીવસે બપોરે બે વાગ્યાની ગાડીએ બેસી રાતે સાત વાગે કુલેરા જંકશને આવી પહોંચ્યા અહીંથી તુરતની બીજી ગાડીમાં બેસી અજમેર રહી ચીડ થઈ તા. ૨૮ને દીવસે સવારે દશ વાગ્યે ઉદેપુર આવી પહોંચ્યા. જોધપુર મેરતારેડ જંકશનથી જોધપુર ૬૪ માઈલ થાય છે. ત્યાં શહેરમાં ધર્મશાળા તથા દહેરાસરે છે. તેમાં કેટલાક દહેરાસરમાં પાનાની તથા રનની પ્રતિમાઓ છે. અહીંથી લુની જંકશન થઈ બીલીમોરા થઈ જેસલમેર જવું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005363
Book TitleTirth Varnan Bhaktimala
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1922
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy