SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ કાડ-૩ – ગાથા-૭૦ સન્મતિપ્રકરણ ૩૯૫ માળાના છુટા છુટા વિખેરાયેલા તે મણકા જ જ્યારે એક દોરામાં યથાસ્થાને પરોવાયા હોય છે ત્યારે તે મણકાની જ માળા બને છે. મણકાને છોડીને કોઈ જુદી માળા બનતી નથી. તેવી જ રીતે પરસ્પર નિરપેક્ષ એવા મિથ્યાદર્શનાત્મક જે નયો છે તે જ સઘળા નયો વીતરાગ સર્વજ્ઞ તીર્થંકર પ્રભુની આજ્ઞારૂપ દોરાથી પરોવાયા છતા પરસ્પરનિરપેક્ષતા રૂપ સ્વચ્છંદતાના ઝેરને ત્યજી દેનારા જ્યારે બને છે અને પરસ્પરસાપેક્ષતા રૂપ અમૃતને ધારણ કરનારા જ્યારે બને છે. ત્યારે તે સઘળા નયો જ જૈનદર્શન કહેવાય છે. જે સઘળા નો એકાન્તવાદના કારણે મિથ્યાદર્શન આત્મક હતા તે જ સઘળા નયો અનેકાવાદની દૃષ્ટિથી સિંચાયા છતા અદ્ભૂત અવર્ણનીય અને અનુપમ યથાર્થદર્શન સ્વરૂપ બન્યા છતા “જૈનદર્શનતાને પામે છે. અભૂત અમૃત તુલ્ય બને છે. આ વિશેષણથી વીતરાગ પરમાત્માએ બતાવેલ આ જૈનદર્શન એ કંઈ તેમનો મત નથી, તેમનો પક્ષ નથી. કોઈ પણ જાતનો એકાન્તવાદ નથી. સાપેક્ષભાવે અનેકાન્તાત્મક જગતનું સ્વરૂપ છે અને તે સ્વરૂપે જ તત્ત્વ સમજાવનારું આ જૈનદર્શન છે માટે પરિપૂર્ણ સત્ય છે. સો ટચના સોના જેવું નિર્દોષ અને યથાર્થદર્શન છે. વીતરાગ પરમાત્માએ તે જ બતાવ્યું છે. (૨) અમૃતસારસ્સ - જેવું જગત છે તેવું જ સ્વરૂપ આ દર્શન જણાવતું હોવાથી મધ્યસ્થવચન છે પક્ષપાતી વચનો નથી. તેથી સાંભળનારાને - ભણનારાને “અમૃત” ના જેવું મીઠું લાગે છે. અમૃતના જેવું હિતકારી થાય છે. કલ્યાણકારી થાય છે. નિરપેક્ષતારૂપી વિષને ત્યજાવીને સાપેક્ષતારૂપી અમૃતને પાનાર હોવાથી વધારે ને વધારે મધ્યસ્થતા - તટસ્થતા જ લાવનાર છે જેથી કોઈ પણ બાજુના પક્ષની ખેંચાખેંચી રહેતી નથી. પરસ્પર ઝઘડા-ક્લેશ કડવાશ કે વેરઝેર થતાં નથી. જે કોઈ પક્ષાપક્ષી ભૂતકાળમાં હતી તે પણ નાશ પામતાં પરમ શાન્તિ આપનાર આ દર્શન બને છે. આ રીતે ક્લેશ અને કષાયોનો નાશ થવાથી વીતરાગતા અપાવવા દ્વારા મુક્તિપદ આપનાર બને છે. જીવને અમૃત = અમર બનાવે છે માટે અમૃતસાર છે. ટીકામાં કહ્યું છે કે - વિદ્યતે મૃતં પરંvi સ્મિન ગણ મૃત: = મોક્ષ, તં સારયતિ गमयति = प्रापयतीति वा तस्य अवन्ध्यमोक्षकारणत्वात् मोक्षप्रतिपादकत्वाच्च । अमयसायस्स વા કૃતિ પાડે અમૃતવત્ સ્વાદાતે ડ્રત્યકૃતસ્વામ્ = અમૃતતુન્યમિતિ યાવત્ / અથવા અમૃતના જેવા આસ્વાદવાળુ આ જૈનશાસન છે. (૩) વિદાદિષ્પ - જે જીવો સંવેગપરિણામી છે. વૈરાગી છે. આત્માર્થી છે. તટસ્થ હૃદયવાળા છે. સત્યતત્ત્વ જાણવાના અભિલાષી છે. પક્ષાપક્ષી ખેંચતાણ વિનાના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy