________________
૩૮૮ કાષ્ઠ-૩ – ગાથા-૬૬-૬૭
સન્મતિપ્રકરણ રાજા સરીખું સૂત્ર છે, મંત્રી સરીખો અર્થ જિનજી | એહમાં એકે હેલીઓ, દિયે સંસાર અનર્થ જિનજી |
સાડા ત્રણસો ગાથાનું સ્તવન ઢાળ ૯/૨૮ ગાથા ૬૬ માં બાહ્યવિભૂતિમાત્રમાં જ રાચતા અને સૂત્રાર્થની વાચનાના આદાનપ્રદાનને ત્યજી દેતા, નિશ્ચય દૃષ્ટિની ઉપેક્ષા કરતા આત્માને જેમ હિતશિક્ષા કહી છે તેવી જ રીતે ગાથા ૬૭માં ક્રિયામાત્રમાં જ આત્મહિત સમજી, તેમાં જ રચ્યા પચ્યા રહેતા, અને તેનાથી જ સંતોષ માની લેતા, મેં તો ઘણું ઘણું આત્મકલ્યાણ સાધી લીધું આમ માની મનમાં ફુલાતા જીવને શિખામણ આપી છે કે - આવા જીવો પણ જે ચારિત્ર પાળે છે અને ધર્મક્રિયાનું આચરણ કરે છે. તેઓ પણ નિશ્ચયદેષ્ટિએ શુદ્ધ એવો ચારિત્રનો સાર પામી શકતા નથી. કારણ કે તેઓ પણ “જ્ઞાન-ક્રિયા” રૂપ બે અંગમાંથી માત્ર એક અંગ જ સેવે છે. અને સેવેલા એવા તે ક્રિયારૂપ એક અંગનું પણ મનમાં માન ઘણું કરે છે. બીજા અંગ તરફ ઘણી જ ઉપેક્ષાભાવ હોય છે. કેવળ એકલો ઉપેક્ષાભાવ જ હોય છે એટલું જ નહીં પણ નયવાદનો અભ્યાસ ઘણો ગહન અને કઠીન હોવાથી માથાના દુઃખાવા રૂપ પણ લાગે છે. તેથી તેના પ્રત્યે અણગમો - નારાજગીભાવ અને ઊંડે ઊંડે તિરસ્કાર ભાવ પણ હૃદયની અંદર આ જીવમાં વર્તતો હોય છે. - તથા બાહ્યક્રિયામાર્ગ ઈતરલોકો વડે જોઈ શકાય છે યશ કીર્તિનું પણ કારણ બને છે પોતાને પણ તે સેવેલા ક્રિયામાર્ગની ગણતરી (સંખ્યા) ગણીને મેં આ કર્યું. મેં આ કર્યું એમ ગાણાં ગાવાની તમન્ના પણ થઈ જાય છે. તેનાથી મેં ઘણી સાધના-આરાધના કરી એવો હાર્દિક સંતોષ પણ થઈ જાય છે. ઈતરલોકો પણ તે જીવની સાધના-આરાધના દેખતા હોવાથી અહો ! તમે તો આએ કર્યું છે. આએ કર્યું છે. તમે જીવનમાં સાધનામાં કંઈ બાકી રાખ્યું નથી. આમ કહી તે જીવને માનમાં ચડાવતા હોય છે અને ભોળા ભદ્રિક જીવો પોતાની ઉણપ ન જોતાં કરેલી ક્રિયાના માનમાં ચડી જાય છે. જ્ઞાનદશા વિના લાભાલાભનું રહસ્ય સમજાતું નથી. સાચુ તત્ત્વજ્ઞાન પ્રસરતું નથી. તેથી હિતાહિતની વિવેકબુદ્ધિ પ્રગટતી નથી અને આ જીવ સ્વપ્રશંસા-પરનિંદા અને માનાદિ કષાયમાં ધકેલાઈ જાય છે. માટે ગ્રંથકારશ્રીએ સૂત્ર નહી ભણનારાને, તથા સૂત્રપાઠ ભણીને અર્થપાઠ નહી ભણનારાને, અને સૂત્ર તથા અર્થપાઠ ભણ્યા પછી અનેકાનંદૃષ્ટિનો વિકાસ નહી કરનારાને, તથા ગીતાર્થો પાસે વાચનાનો વ્યવહાર નહી કરનારાને, અને સ્વચ્છંદ મતિવાળાને આ ગાથાઓમાં ઘણી ઘણી માર્મિક ટકોર કરી છે અને હિતશિક્ષા રૂપ ઉપદેશ પણ આપ્યો છે. સાધક અને આરાધક આત્માએ આ ગાથાઓમાંથી સ્વયં સમજી લેવું. આ ૧૦/૧૨ ગાથાઓના અર્થો તથા વિવેચન વારંવાર વાંચવું અને એકાન્તમાં બેસીને આત્માર્થભાવે ઘણું જ ચિંતન કરવું. એવી ભાવભરી અમારી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org