SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ રાજસ્થાન સરકારે સાવજનિક સ્થાનામાં પશુમતિ પ્રતિખંધના કાયદો કરીને, માતની સજા માફ કરીને અને કેદીઓની સજાઓમાં રાહતની ઘાષણા કરીને ભગવાન મહાવીરના ૨૫૦૦ મા નિર્વાણુ વર્ષની સ્મૃતિને સાનેરી કળશ ચઢાવ્યા છે. ફાંસીની સજા માફ્ કરવાની ઘેષણાથી ચાર અપરાધીઓને અભયદાન મળ્યું. તેમની ફાંસીની સજા આજીવન કેદમાં બદલવામાં આવી. અને કેદની સજામાં રાહતના લાજ લગભગ ૩૫૦૦ કેદીઓને મળ્યા. * રાજ્ય સરકારે શતાબ્દી વર્ષને “ શાંતિ વર્ષ” ધાષિત કર્યુ. આ વર્ષમાં રાજ્યભરમાં શિકાર માટે નવા કઈ કરવાના નહિ આપવાની પણુ જાહેરાત કરી. અને નિર્વાણુ વર્ષના પ્રથમ ત્રણ અને અંતિમ ત્રણ એમ કુલ છ દિવસ માટે રાજ્યભરમાં દારૂ અને માંસના વેચાણ પર પ્રતિખંધ મૂકયા હતા. દીવાળી ૧૯૭૫થી દીવાળી ૧૯૭૪ સુધીમાં દેશી કે વિદેશી દારૂ માટેની નવી દુકાનાના પરવાના ન આપવાના પણ નિણ ય લેવાયે.. રાજ્ય સરકારના આ પ્રશંસનીય અને આવકારદાયક પગલાંઓ ઉપરાંત રાજકીય સ્તરે જે નિર્માણુ અને પ્રચાર કાર્યાં થયા તે આ પ્રમાણે છેઃ ૦ રાજ્ય વિધાનસભા-જયપુર, ઉદયપુર તથા જોધપુર વિશ્વવિદ્યાલયના પુસ્તકાલય સહિત રાજ્યના તમામ જિલ્લાઓનાં [કુલ ૩૦ ] પુસ્તકાલયામાં “મહાવીર કક્ષ ” સ્થાપના. આ ચેજના માટે જૈન સમાજ તરફથી સરકારને રૂા. સવા લાખની કિમતના ૧૨ હજાર પુસ્તકો ભેટ અપાયા. ૦ રાજ્યના આઠ મ્યુઝિયમેામાં (જયપુર, જોધપુર, બિકાનેર, ઉદયપુર, અજમેર, અલવર, ભરતપુર અને કોટા) “ મહાવીર કક્ષ”ની સ્થાપના ચાલું Jain Educationa International છે. આ કક્ષમાં ભગવાન મહાવીર અને જૈન ધમ' સંબંધી પ્રાચીન કલાકૃતિ અને સાહિત્ય રખાશે. જયપુરના વિશ્વવિખ્યાત હવામહેલમાં પશુ કાયમીરૂપે ‘મહાવીર કક્ષ ' સ્થાપવાના નિણુ ય લેવાયા. ૦ રાજ્યના તમામ ૨૬ જિલ્લા કાર્યાલયે માં શિલાલેખ મૂકાશે. ૦ જયપુર શહેરમાં મજાજ નગરની પાસે મહાવીર ઉદ્યાન.’ Re ૦ રાજસ્થાન વિશ્વવિદ્યાલય-જયપુર અને ઉદયપુર વિશ્વવિદ્યાલયમાં “ જૈન ચેર”ની સ્થાપના. ઉદયપુર વિશ્વવિદ્યાલયમાં “જૈન ચેર” શરૂ કરવા માટે અખિલ ભારતીય સાધુમાગી' સભાએ રૂા. બે લાખનું દાન આપવા વચન આપ્યું. જૈન ચિત્રકળા, જૈન વાસ્તુકલા અને જૈનાનું રાજસ્થાનને પ્રદાન—આ વિષય પર બૃહદ્ ગ્રન્થાનું નિર્માણુ ચાલુ p છે. આ પ્રકાશન કાર્ય માટે શ્રી અગરચન્દ નાહટા, ડૉ. તુરચંદ કાસલીવાલ, ડે. મૂલચ૪ શેઠિયા, ડી નરેન્દ્ર ભાનાવત, ડી. આર. સી. અગ્રવાલ, શ્રી સ ́તકુમાર ગયા, શ્રી દેવેન્દ્રરાજ મહેતા અને શ્રી જિતેન્દ્રકુમાર જૈન-એમ આઠ સભ્યાની સમિતિની રચના થઈ છે. ૦ ભારત સરકારના સહયાગથી શ્રી નાર્કાડાજી તીથ'માં ‘ગ્રામીણુ પુસ્તકાલય'ની સ્થાપનાના નિણૅય લેવાયે. જ્યારે ભવનનું નિર્માણુ સ્થાનિક સસ્થાઓ કરશે. ૦ ભારત સરકારના સહુયાગથી “ મહાવીર ખાલ કેન્દ્ર ” પણ શરૂ થશે. ૦ ચુરુ અને નાગૌરમાં હુંમેશ માટે દારૂબધી અમલસાં મૂકાઈ છે. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy