SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ છે. પોતાના પુરુષાર્થની ઊણપ, પોતાની અણઆવડત, પોતાની ખામી, પોતાની ભૂલોને ઢાંકવા માટે કરમ અને નસીબ તેમને વધારે માફક આવે છે. કહેવાતા આસ્તિક લોકો એટલા કાયર હોય છે કે પોતાની નિષ્ફળતાઓને નસીબના ખાતામાં જમા કરાવી દે છે. નાસ્તિક માણસ બહાદુર અને સાહસિક હોય છે. જગતમાં નાસ્તિક લોકો કરતાં આસ્તિક લોકોનું ટોળું મોટું હોય છે. છતાં નાસ્તિક લોકો એ મોટા ટોળાની વિરુદ્ધમાં એકલા ચાલવાનું સાહસ કરે છે. કેટલાક આસ્તિક માણસો તો વાહિયાત પરંપરાઓને જાણ્યા-સમજ્યા વગર જ પાળતા-પંપાળતા રહે છે. એમના મનમાં સતત ભય-વહેમ અને દહેશત રહે છે કે જો મારી કંઈક ભૂલ થશે તો દેવ કે દેવી કોપી ઊઠશે. દેવ અને દેવી કદી કોપે ખરાં? જે કોપે તેમને દેવ-દેવી કહેવાનું ફરજિયાત ખરે? કોપવાનું લક્ષણ દાનવનું હોય, દેવનું નહિ. પરંતુ એટલો વિશ્વાસ અને એટલી સમજણ પોતાની મૌલિક વિચારશક્તિમાંથી તેઓ પ્રગટાવી શકતા નથી. એટલે ગાડરિયા પ્રવાહની જેમ અગાઉથી ચાલ્યું આવતું હોય તે પ્રમાણે જ જીવવાનું તેમને માફક આવે છે. પોતાની પ્રતિભા કે પ્રજ્ઞાનો પ્રયોગ કરવાનું સાહસ તેમનામાં નથી હોતું. આસ્તિક લોકોએ અને કહેવાતા ભક્તોએ ભગવાન વિશે જેટલી ગેરસમજો અને અફવાઓ ફેલાવી છે તેટલી ગેરસમજો અને અફવાઓ નાસ્તિક લોકોએ ભગવાનના અસ્તિત્વની વિરુદ્ધમાં કદીય ફેલાવી છે ખરી? નાસ્તિક માણસ કોઈકનાં વહેમ - અંધશ્રદ્ધા જોઈને દુઃખી થાય છે, કરુણા અનુભવે છે પરંતુ તે ક્યારેય ક્રૂર નથી થતો. જ્યારે આસ્તિક લોકો નાસ્તિક વ્યક્તિની વાત સાંભળીને તરત જ ઝનૂની બની તેનો પ્રતિકાર કરવા ધસી જાય છે. નાસ્તિક માણસ કુદરત (નેચર)નો આદર કરે છે. દરેક ઘટનાને તે કાંતો સહજ સમજે છે અથવા તો પોતાના પુરુષાર્થના પરિણામ સ્વરૂપ સમજે છે. તેના પ્રત્યેક વિચારમાં તટસ્થ વિવેક હોય છે, નિખાલસ જિજ્ઞાસા હોય છે, સ્પષ્ટ વાત હોય છે. એણે આડંબર અને દંભ કરીને કશુંય છુપાવવાનું હોતું નથી. કહેવાતા આસ્તિક લોકોએ તો અગમ-નિગમની વાતો કરીને, ચમત્કારની અફવાઓ ફેલાવીને ઘણું ઘણું છુપાવવાનું હોય છે. મારી અંગત સ્પષ્ટ માન્યતા એવી છે કે દંભી વ્યક્ત કરતાં નિખાલસ 9ી મારી મહાવીર, તારી મહાવીર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy