SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ભપકો કરે છે ! જ્યાં ભપકો છે ત્યાં ભડકો થશે જ. જ્યાં છીછરાપણું છે ત્યાં આત્મછલના જ થશે. આડંબર એ ધર્મ નથી. ભગવાન મહાવીર જ્ઞાનના ઉપાસક હતા. વિવેક બુદ્ધિ વડે જ ધર્મ અંગેનો નિર્ણય થઈ શકે તેમ તેઓ કહેતા હતા. એનો અર્થ એ થયો કે અંધશ્રદ્ધા કે જડ માન્યતાના માર્ગે ચાલીને મહાવીરે બતાવેલા ધર્મને પામી શકાય જ નહિ. સત્યનો સાધક સદાય ખુલ્લા મનનો હોય. રાગ-દ્વેષથી મુક્ત હોય. તેને કોઈ કષ્ટની પીડા ના હોય. તેને કોઈ શત્રુ ન હોય. તેને કોઈના પ્રત્યે પૂર્વગ્રહ ન હોય. તો પછી ભગવાન મહાવીરના અનુયાયીઓમાં કેમ આટલા બધા ફાંટા પડી ગયા? સમન્વય અને એકતા અને મૈત્રીનો પુરસ્કર્તા ભગવાન મહાવીરના અનુયાયીઓ કેમ નાનાં નાનાં મમત્વને પંપાળી પંપાળીને ઉછેરતા થયા ? નક્કી, ક્યાંક કશુંક ખૂટે છે. ભગવાન મહાવીરને માનનારા તો ઘણા છે, પણ તેમને જાણનારા કેટલા છે ? પ્રથમ જાણો પછી માનો. જાણ્યા વગર ધર્મની તટસ્થ વિવેકબુદ્ધિ પ્રગટશે શી રીતે ? ભગવાન મહાવીરે પ્રથમ ધ્યાન કર્યું પછી બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું. બુદ્ધત્વ પ્રાપ્ત કર્યા વગર બોધ આપી શકાય જ નહિ. પોતે જ અતૃપ્ત હોય તે બીજાને તૃપ્ત શી રીતે કરી શકે ? જે સ્વયં અધૂરો હોય, ખાલી હોય તે બીજાને શું આપી શકવાનો હતો ? મહાવીરે જગતના કલ્યાણ માટે પગે ચાલીને કપરા વિહાર ક્ય. લોકશૈલીમાં સૌને ધર્મબોધ પ્રબોધ્યો. માટે જ તો એમના જન્મદિવસને જન્મકલ્યાણક તરીકે ઊજવવામાં આવે છે ! ભગવાન મહાવીર વૈજ્ઞાનિક અભિગમવાળા સાધક હતા. પર્યાવરણની ચિંતા તેમણે પરાકાષ્ઠાએ પહોંચીને કરી હતી. તેમની જીવદયા કેવળ ધર્મરંગી નહોતી, પ્રકૃતિરંગી હતી. એમનો એ દૃષ્ટિકોણ અસ્તિત્વવાદનો પર્યાય હતો. જીવદયા અને અહિંસા વગર કોઈ જીવનું અસ્તિત્વ સુરક્ષિત નથી. ભગવાન મહાવીરનું એ ચિંતન આજે કેટલું બધું ઔચિત્યપૂર્ણ લાગે છે ! જે યુગમાં નારીને કોઈ ગૌરવ નહોતું, તે યુગમાં ભગવાન મહાવીરે નારીને પણ મોક્ષની અધિકારિણી કહી. એટલું જ નહિ, ચંદનબાળા જેવી નારીને પોતાના સંઘમાં ઉત્કૃષ્ટ સ્થાન આપ્યું. આપણા બાજુ માં મારા મહાવીર, તારા, મહાવીર 79 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy