SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ છે. મોહનને જન્મ આપનાર માતા દેવકી છે તો તેની પાલક માતા યશોદા છે. તેને બે બે માતાઓ છે. તો મહાવીરને પણ કંઈક એવી જ પરિસ્થિતિ છે. મહાવીર સૌ પ્રથમ તો દેવાનંદા નામની એક બ્રાહ્મણ સ્ત્રીની કૂખે ગર્ભરૂપે આવ્યા હતા. પરંતુ તીર્થકરોને જન્મ આપવાનો હક માત્ર ક્ષત્રિયાણીને જ હોય... તેથી અંતે દેવાનંદાની કૂખમાં રહેલા ગર્ભને ત્રિશલાદેવીના ગર્ભમાં મોકલી આપવામાં આવ્યો હતો. કોઈ પણ પ્રકારના ઑપરેશન વગર આ રીતે ગર્ભને ટ્રાન્સફર કરી દેવાનું શક્ય ખરું? નવી પેઢી તો કદાચ એમ પણ પૂછે કે, જો આ રીતે ગર્ભને ટ્રાન્સફર કરવાનું સામર્થ્ય હતું તો, શરૂથી જ મહાવીરને ગર્ભને દેવાનંદાની કૂખે જવા જ કેમ દીધો? પહેલાં ગંભીર ભૂલ કરવી અને પછી તદન અશક્ય લાગે એ રીતે ભૂલને સુધારી નાખવી... આવી વાતો ચમત્કારના રવાડે ચડેલી ભોળી પ્રજાને ગમે, પણ મહાવીરના સાચા આશિકને તો આવી વાતો વાહિયાત, તર્કહીન જ લાગે ને ! શ્રી કૃષ્ણ જન્મ પછી બંદીવાન માતા-પિતાને બંધનમુક્ત કરીને સુખ આપ્યું હતું. તો મહાવીરે જન્મ પહેલાં જ ગર્ભાવસ્થા દરમ્યાન જ અભિગ્રહ કર્યો હતો કે માતા-પિતા જીવતાં હશે ત્યાં સુધી સંયમના માર્ગે જઈને હું તેમની લાગણીને આઘાત નહિ આપું. માતાના ગર્ભમાં રહેલા પ્રભુ મહાવીર વિચાર કરે છે કે જો હું હલન-ચલન કરીશ તો માતાને પીડા થશે. એટલે તે સ્થિર થઈને રહે છે. જરાપણ હલન-ચલન કરતા નથી. ત્રિશલા માતાને વહેમ પડે છે કે શું મારો ગર્ભ જીવિત તો હશે ને ? કાંઈ અમંગળ તો નહિ થયું હોય ને? મહાવીર ગર્ભાવસ્થામાં આ જાણી જાય છે અને વિચારે છે કે જે માતાએ હજી મને જન્મ આપ્યો નથી... જેણે હજી મારું મોં પણ જોયું નથી. એ માતા મારા વિશેની અમંગળ કલ્પના કરીને આટલો બધો વિલાપ કરે છે તે માતાને છોડીને હું સાધનાના કઠોર માર્ગે જઈશ તો તેને કેવો આઘાત લાગશે ! આમ વિચારીને, માતા-પિતાને આઘાતથી બચાવવા તથા માતા-પિતાના સુખનો આદર કરીને પોતે અભિગ્રહ કરે છે કે જ્યાં સુધી માતા-પિતા હયાત હશે ત્યાં સુધી પોતે પ્રવજ્યાના પંથે પગ નહિ માંડે. મોહન જન્મ પછી માતા-પિતાને બેડીમુક્ત કરીને સુખી કરે છે, મહાવીર જન્મ પહેલાંથી જ માતા-પિતાના સુખ માટે અભિગ્રહ કરે છે. 12 મારા મહ્મવીર, તારા મહાવીરના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy