SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ એક વખત ભગવાન મહાવીર કૌશામ્બી નગરીમાં પધાર્યા હતા. ત્યાં મહારાજા શતાનિકની બહેન જયંતીએ એમને પ્રશ્ન પૂછ્યો, ‘પ્રભુ ! જાગવું સારું કે ઊંઘવું સારું ?' કે પ્રભુએ કહ્યું, ‘અધર્મી જીવો માટે ઊંઘવું સારું છે, જેથી તેઓ અન્ય જીવોને દુભવે નહિ; પરંતુ ધર્મી જીવો માટે જાગવું સારું છે કારણ કે તેઓ પોતાનું અને સર્વનું હિત કરે છે.’ ભગવાન મહાવીરની વાણી આજના યુગમાં પણ વિશ્વશાંતિ અને વિશ્વબંધુત્વ માટે અત્યંત પ્રેરક છે. એમની અહિંસા એટલે કાયરની ભાગેડુવૃત્તિ નહિ, પણ વીરની ક્ષમાભાવના. બીજાને અભય ક૨ના૨ જ પોતે અભય બની શકે છે. બોતેર વર્ષનું આયુષ્ય ભોગવીને ઈ.સ. પૂર્વે ૫૨૮માં પાવાપુરી મુકામે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા. લગભગ ત્રીસ વર્ષ સંસારમાં ગાળ્યાં, સાડા બાર વર્ષ સાધનામાં વીતાવ્યાં અને ત્રીસ વર્ષ જેટલો સમય કેવલી અવસ્થામાં એમણે પસાર કર્યો. એમના જીવનની છેલ્લી એક ઘટના જોઈએ. પોતાના પરમ શિષ્ય ગણધર ગૌતમને પ્રભુએ પોતાના નિર્વાણની પળે પાસેના ગામમાં દેવ શર્મા નામના બ્રાહ્મણને ઉપદેશ આપવા મોકલ્યા. ગણધર ગૌતમ પાછા ફરતા હતા ત્યારે જોયું તો નગરમાં ભયંકર સન્નાટો છવાયો હતો. હવા જાણે થંભી ગઈ હતી. પશુઓ અને પંખીઓ પણ જાણે વિષાદગ્રસ્ત બન્યાં હતાં. હા, ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા હતા. જ્યારે ગૌતમે આ જાણ્યું ત્યારે એમના વિલાપની સીમા ના રહી. એ નાના બાળકની જેમ રડી પડ્યા અને બોલ્યા, ‘હે પ્રભુ ! આપ તો સર્વજ્ઞ હતા. આપ આપનો અંતિમકાળ જાણતા જ હશો. છતાં આપે મને આ છેલ્લી પળે આપનાથી દૂર શા માટે મોકલ્યો ? હવે મને આ ભવબંધનમાંથી કોણ છોડાવશે ? કોણ મારું રાહબર બનશે ?' ગણધર ગૌતમનો વિલાપ અને પ્રલાપ પરાકાષ્ઠાએ પહોંચ્યો, ત્યાં જ એકાએક એમના ચિત્તનો વિચારપ્રવાહ પલટાયો : એકાએક એ બોલ્યા, મારા મહાવીર, તાણ મહાવીર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy