SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મને સમજવા માટે બુદ્ધિ અનિવાર્ય છે. બુદ્ધિ વિનાના લોકો ધર્મ કે અધર્મને જાણ્યા વિના, શાસ્ત્રને સમજ્યા વિના સ્થૂળ ક્રિયાઓ કર્યા કરે છે. આવા ભક્તોમાં દઢતા હોય છે ખરી, પણ એ દઢતાને શ્રદ્ધા ના કહેવાય, એને નરી જડતા જ કહેવાય ! કોઈ પણ ધર્મની દિવ્યતા વ્યક્તિપૂજામાં નથી, પણ વ્યાપક જીવનમૂલ્યોની માવજતમાં રહેલી છે. પોતાના ગુરુના નામે જાતજાતનાં નિમિત્તો ઊભાં કરીને રથયાત્રાઓ યોજવી, તેમના નામના મિથ્યા જયજયકાર કરવા, ભવ્ય કીર્તિસ્મારકો ઊભાં કરવાં. આ બધું ગમેતેટલું સુંદર લાગે અને તેમાં ભલે હજારો લાખો ભક્તોની ભીડ જમા થાય તોપણ એ ધર્મ નથી, માત્ર આડંબર છે અને કોઈ પણ આડંબર ગમેતેટલો રૂપાળો અને ભવ્ય હોય તોપણ એ ધર્મ તો નથી. આડંબરને ધર્મ માનવો એ વિડંબના છે. વ્યક્તિપૂજા હોય ત્યાં ધર્મ ટકી જ ના શકે. કોઈ એક વ્યક્તિના (ભલે તે ગુરુ હોય) નામે વરઘોડા કાઢવા કરતાં, એના નામે નિરક્ષરોને ભણાવવાનું કે દુઃખી-બીમારને મદદરૂપ થવાનું કામ થાય તો એથી સમાજને વધુ લાભ થાય. ભૂતકાળમાં અમુક વ્યક્તિએ ભવ્ય વરઘોડા કાઢ્યા હતા એમ કહીને આપણે એનાથી પણ અધિક ભવ્ય વરઘોડા કાઢવા ગાંડાઘેલા થઈ ઊઠીએ તો એ .અંધશ્રદ્ધા જ છે. ધર્મ કરતાં દંભ કદીય મહાન હોઈ જ ન શકે. જગતના કોઈ પણ દેશ કરતાં, ભારત દેશમાં દાનની રકમો મોટા પ્રમાણમાં આપવામાં આવે છે. દરરોજ કરોડો અબજો રૂપિયાનાં દાન ઉઘરાવવામાં આવે છે. છતાં, આપણે વધુ ને વધુ ગરીબ અને દુઃખી થતા રહીએ છીએ. આટલાં બધાં દાન વ્યક્તિપૂજામાં, જડ વિધિવિધાનોમાં વેડફાય છે. તેનો ઉત્પાદનલક્ષી અને રચનાત્મક વિનિયોગ કરવામાં આવે તો ધર્મ, રાષ્ટ્ર અને સમાજનો ઉત્કર્ષ ચમત્કારિક રીતે થઈ જાય ! - ભગવાન મહાવીર કાન્તદ્રષ્ટા હતા. માનવીને મનના ઊંડા જ્ઞાતા હતા. વૃત્તિઓ અને ભાવનાઓના અભ્યાસુ હતા. તેમને ખ્યાલ હતો જ કે સમય વીતતો જશે તેમ તેમ દંભી, ધર્માત્માઓ સામાન્ય માનવીને ધર્મને નામે અંધશ્રદ્ધાનાં અફીણ પિવડાવશે અને પોતાના સ્વાર્થ સાધશે. તેથી જ તો એમણે ધર્મના નિર્ણય કરવામાં બુદ્ધિની મહત્તાનો આદર કર્યો ! જે લોકો એમ કહે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005348
Book TitleMara Mahavir Tara Mahavir
Original Sutra AuthorN/A
AuthorRohit A Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2004
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy