SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન-તમારો પોતાનો મહાત્મા ગાંધીજી માટે શો અભિપ્રાય છે અને મહાત્મા ગાંધીજી હિંદુ-મુસલમાનની એકતા કરે છે તથા ઢેઠ-ભંગીને સ્પર્શ્વગણે છે તથા રેટીયા ખાદીની પ્રવૃત્તિ કરે છે. તેમાં તમારીજાતિ અભિપ્રાય શો છે? ઉત્તર - વ્યવહારથી જૈનધર્મની દૃષ્ટિએ તેમને હું જૈનગૃહસ્થ જૈન સાધુ માનતો નથી પણ હિંદુ - દેશનાયકોમાં સર્વ પુરુષોમાં વિશેષ સત્યાગ્રહી, સરલ અને ગુણાનુરાગી અને મધ્યસ્થ અને મોક્ષમાર્ગાનુસારી કોટિના પુરુષોમાં યોગ્ય શ્રેષ્ઠ તરીકે છે એમ માનું છું. હિંદુ-મુસલમાનની એકતા થાય અગર ન થાય તો પણ તેમની ભાવના અને પ્રવૃત્તિને તો સારી માનું છું. હિંદુ-સંન્યાસીઓ જેવા તે ત્યાગી નથી, પણ તે ત્યાગીના કેટલાક ગુણોથી યુક્ત છે. જૈનશાસ્ત્રોની દષ્ટિએ તે વ્યવહારથી જૈન અથવા ત્યાગી નથી તેમનામાં ધર્મસહિષ્ણુતા ના ગુણ સારા પ્રમાણમાં ખીલ્યો છે અને તેથી તે સમ્યગદૃષ્ટિ ગુણસ્થાનને ભવિતવ્યતાના યોગે પામવાને લાયક છે, એમનામાં દાઝ સારી છે. ઢ-ભંગીને સ્પર્શ્વ માનવા એવી તેમની માન્યતાવાળો હું નથી પણ હું ઢેઢ-ભંગીઓ સ્પશ્ય થાય એવા ઉપાયો લેવાની તરફેણમાં છું. તેઓ કેળવણી પામશે અને દારૂ, માંસ વગેરેનો ત્યાગ કરશે, મલીનતા છોડશે, સાત્વિકાચાર વિચારમાં આરૂડ થશે, તો હળવે હળવે તેઓ સ્પર્ય થઇ શકશે. તેમની રેંટીયા, ખાદીની પ્રવૃત્તિ, અહિંસાની દૃષ્ટિએ ઉપયોગી છે, પણ તે મરજીયાત થવી જોઈએ; વૈષ્ણવભકત મહાત્મા ગાંધીમાં જેજે ગુણો અમને જણાય છે, તેની અમો અનુમોદના કરીએ છીએ તે પોતાને તીર્થકર તથા પ્રભુ અવતાર કહેનારા તેમના ભકતોને વખોડી કાઢે છે અને તેઓને જુઠા કહે છે, એવી તેમની માન્યતા છે.તે સાચી છે અને એમના કહેવા પ્રમાણે અમો તેમના સંબંધી એવા ઉપર્યુક્ત વિચાર માનીએ છીએ. તેઓ હિંદુ-મુસલમાનોને જે એકતા, સંપ પ્રેમનો પાઠ શીખવે છે તે સારો છે. બાકી જૈનશાસ્ત્રોના આધારે અમો ગાંધીજીને વેષ્ણવભકત તરીકે માનીએ છીએ. અને જૈનશાસ્ત્રના આધારે જૈનોએ પણ એમ માનવું જોઈએ. ___ ईत्येवं ॐ अर्ह महावीर शान्ति ३ વિ. સં. ૧૯૮૦ શ્રાવણ સુદિ પંચમી બુદ્ધિસાગર મુ. પેથાપુર ૩૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005346
Book TitleGhantakarn Mahavir Dev
Original Sutra AuthorN/A
AuthorMahudi Jain Shwetambar Murtipujak Trust
PublisherMahudi Jain Shwetambar Murtipujak Trust
Publication Year1998
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy