SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર વિશ્વાસ રાખવાની જરૂર નથી, અને ધર્મને માટે વૈષ્ણવ, ખ્રિસ્તી આદિ અન્ય ઘર્મ નીતીવાળા ભક્તોની મહાત્માઓની સંગતિ કે શરણ કરવાની કિંચિત - અંશ માત્ર પણ જરૂર નથી. જૈનો, જૈનશાસ્ત્રો પ્રમાણે વર્તે તો તેઓ સ્વતંત્ર મુકત બની શકે છે. દેશનાયકો અનેક થયા કરશે અને દેશની ભક્તિનો રંગ વ્યાપક હોવાથી હિંદનો દેશનાયક નીતીવાળો હોય તો ચાર ખંડમાં વખણાય પ્રસિદ્ધ થાય, તેથી તે કંઈ જૈનધર્મની દષ્ટિએ જૈનત્યાગી સાધુઓની તુલનામાં આવી શકતો નથી. અને જૈન સાધુઓની અહિંસાને પણ પાળી શકતો નથી તો પછી તે સર્વજ્ઞ વીતરાગ તીર્થકરની તુલનામાં તો આવે જ કયાંથી? એમ જૈનશાસ્ત્રોના આધારે જૈનો જાણે છે અને એવા દઢ નિશ્ચયથી પ્રવૃત્તિ કરે છે. જૈનેતર દેશનેતાઓ પાસેથી આશા રાખનારાઓ ગાડરના બચ્ચાં જેવા ભોળાં છે. દયા અહિંસાદિ તત્ત્વોને સર્વજ્ઞ મહાવીરે જેવાં પ્રરૂપ્યાં છે, તે જૈનશાસ્ત્રોના પૂર્ણ અભ્યાસથી જાણી શકાય છે અને તે જાણ્યા પછી ગાંધીજી વગેરે દેશનેતાઓની અહિંસાની તુલના જો જૈનસંધુઓની સાથે કરવામાં આવે તો તેમાં ઘણો ફેરફાર જણાશે. આપણે જૈનોએ દયા, અહિંસા માટે અન્ય ધર્મીઓનું શરણ લેવાની જરૂર રહેતી નથી. જૈનશાસ્ત્રોના આધારે મેં મારી માન્યતા જણાવી છે, તેથી કંઈ ગાંધીજી ઉપર દ્વેષભાવ નથી. ગાંધીજી તો શું પણ મારા શત્રુઓ બની જેઓ મારા ઘાત કરવા ઇચ્છે છે તેવાઓ ઉપર મને સદભાવદયા, શુદ્ધ પ્રેમ પ્રવર્તે છે. તો ગાંધીજી આદિ દેશભકતો વગેરેની સાથે મારે મંત્રીભાવ છે. એમ સત્ય જાહેર કરૂં છું. પ્રશ્ન- કેટલાક શક્તિ જૈનો કહે છે કે પ્રભુ મહાવીરદેવે બ્રાહ્મણોની સત્તાના જૂલ્મથી કંટાળીને દીક્ષા લીધી હતી તેનું કેમ? ઉત્તર-એવા શકિત જૈનો કપોલકલ્પિતકાલપુરાણનાં ગપ્પાં ઉઠાવનાર છે, કારણ કે તે કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનોની જૂઠા અનુમાનના તંરગો પર ડોલે છે. તેઓ કંઈ શાસ્ત્રનો પુરાવો આપી શકતા નથી. પ્રભુએ તો આત્મધ્યાન ધરી કેવલજ્ઞાન પ્રગટાવવાને દીક્ષા લીધી હતી. બ્રાહ્મણો તો તે વખતની તેમની પ્રશંસા કરતા હતા અને પ્રભુ મહાવીર તીર્થકર થઈ જગતનો ઉદ્ધાર કરવાના છે એમ જાણતા હતા. હાલના બ્રાહ્મણોને અને જૈનોને દેખી તે વખતના બ્રાહ્મણોનો જમાનો કલ્પી જૂઠા વિચારો દોડાવવા એ જૈનનું લક્ષણ નથી. ૩૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005346
Book TitleGhantakarn Mahavir Dev
Original Sutra AuthorN/A
AuthorMahudi Jain Shwetambar Murtipujak Trust
PublisherMahudi Jain Shwetambar Murtipujak Trust
Publication Year1998
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy