SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનરક્ષકે પ્રગટ પ્રભાવક શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવ (જૈનધર્મ શંકા સમાધાનમાંથી) ' શ્રી જૈનશાસન રક્ષક ઘંટાકર્ણ વીરની સહાયસિદ્ધિ प्रणम्यश्रीमहावीरं, सर्वज्ञं दोषव र्जितम । कुमतं खण्डनं कुर्वे, जैनशास्त्रविरोधिनाम् ॥ १ ॥ घण्टाकर्णमहावीर, जैनशासनरक्षकः । तस्य सहायसिद्धयर्थ, वच्मि शास्त्रनुसारतः ॥ २ ॥ શ્રી સર્વજ્ઞ દોષવર્જિત ચોવીશમા તીર્થંકર તારણહાર એવા શાસનનાયક મહાવીર પરમાત્માને નમસ્કાર કરીને જૈનશાસ્ત્રોના વિરોધીઓ કે જેઓ ચાર નિકાય દેવોની સહાયતાને માનતા નથી – વગેરે જૈનશાસ્ત્ર વિરૂદ્ધ અનેક કુમતને ધારે છે, એવાઓના કુમતને ખંડન કરૂં છું. ઘંટાકર્ણ મહાવીરદેવ તે બાવન વીર પૈકી એક વીર છે, તે જૈનશાસનરક્ષકવીર છે. તે જૈનધર્મમાં શ્રદ્ધાળુ એવા જૈનોને સહાય કરી શકે છે, તેવી શાસનદેવની સહાયની સિદ્ધિને શાસ્ત્રાધારે કહું છું. Jain Educationa International જૈનશાસ્ત્રોમાં પરંપરાગમનું વર્ણન છે. પૂર્વે જૈનાચાર્યોની પરંપરાએ જે માન્યતાઓ પ્રવર્તે છે, તેનો પરંપરાગમમાં સમાવેશ થાય છે. સર્વ જાતના હિંદુ, મુસલમાન બૌદ્ધ વગેરે ધર્મોમાં પણ તેઓ તેઓના મહાત્માઓના પરંપરાગમોને For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005346
Book TitleGhantakarn Mahavir Dev
Original Sutra AuthorN/A
AuthorMahudi Jain Shwetambar Murtipujak Trust
PublisherMahudi Jain Shwetambar Murtipujak Trust
Publication Year1998
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy