________________
મથુરાના શિલાલેખ
૧૮૩ તે સમયની ચાલુ-પ્રચલિત ભાષા વાપરતા અને તેમના શારે ચોક્કસ રીતે પ્રાકૃતમાં લખાયાં હતાં. એ સ્વાભાવિક છે કે સંસ્કૃતમાં લખવાના તેમના પ્રયત્ન સફળ ન હતા. આ અનુમાનને દરેક લેખમાં જે જાતના અને જેટલા ભાષાશે જોઈએ છીએ તે ઉપરથી અને જુદા જુદા વાકયે ઉપરથી સારે ટેકે મળે છે. જેમ કે વાચ અર્થ- નિસ્ય શિષ્યો વર્ગ-નાગિરિનઃ તસ્ય નિર્જુર્તના, જેને પાછલે ભાગ નવા નિશાળિયાના લખાણના નમૂના જે લાગે છે.”
ઉત્તર હિંદના જૈન ઇતિહાસની દષ્ટિએ મથુરાના શિલાલેખે ઈ. સ. પૂર્વે તથા પછીના ઈન્ડેસિથિયન સમયની જૈનધર્મની પ્રગતિને અચુક પુરાવે છે તેની ના પાડી શકાય તેમ નથી. મહાવીર તથા અન્ય તીર્થકરેનાં મંદિર તેમજ પ્રતિમાઓ બનાવનારી અને તેને પૂજનારી એવી ગ્રસ્ત જૈન સમાજની હસ્તીનું આ લેખ ભાન કરાવે છે. ખારવેલના હાથિગુફાના શિલાલેખ પછી મથુરાની કંકાલી ટેકરી આપણને સંપૂર્ણ અને સંતોષકારક પુરો આપે છે કે ઈસ. ની શરૂઆતમાં પણ જૈનધર્મ એ બોદ્ધધર્મ એટલે જ મહાન પ્રગતિવંત હતે.
1. Bahler, op. cil., p. 377.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org