SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ કલિંગદેશમાં જૈનધર્મ ૧૪૭ પ્રાચીન અવશેષોના વિદ્વાન લેખક તે વિષે કહે છે કે “લાકડાની ગાદી પર મહાવીરની શ્યામ ઉભી પ્રતિમા છે. તે મંદિર દિગંબર સંપ્રદાયના જૈન વેપારી મંજુ ચૈધરી અને તેના ભત્રિજા કટકના ભવાનિ દાદુએ બંધાવેલું છે.”૧ ગાદી પર છેની બેઠક પણ છે, જેની પાછળ ઉપસેલી ભીંત છે, તેના પર જૈન તીર્થકરોની પાંચ પ્રતિમાઓ છે. નીચેના ભાગમાં એક નાને ઝરુખે છે, જ્યાં જૂનાં મંદિરનાં અસ્તિત્વને વ્યક્ત કરતાં અનેક અવશે પડેલાં છે. ૨ છેવટે હાથીગુંફા પર આવતાં આપણને જણાય છે કે તે એક કુદરતી ગુફા છે કે જે કળાપૂર્વક સહેજસાજ સુધારવામાં અને મોટી કરવામાં આવી છે. ઓરિસાના પુરી જીલ્લામાં તે ભુવનેશ્વરથી ત્રણ માઈલ દૂર ખંડગિરિની નીચે ટેકરીઓની ઉત્તરે અને ઉદયગિરિની દક્ષિણે છે. કળાવિધાન અને શિલ્પની દૃષ્ટિએ અગત્યની ન હોવા છતાં તે ગુફાના શિખર પર કલિંગના રાજાની આત્મકથા ગાતા મોટા શિલાલેખના કારણે ત્યાંની અન્ય ગુફાઓ કરતાં ખાસ અગત્યની છે. શિલાલેખ થેડા આગળના ભાગ પર અને છેડે ગુફાના છાપરા પર છે, તે હિંદના ઈ. સ. પૂર્વે બીજા સૈકાના ઈતિહાસ પર રેશની ફેકે છે. “જ્યારે ચંદ્રગુપ્ત અને અશોકનાં મહારાજે ડેલી ઉક્યાં હતાં અને ગાદી પચાવી પાડી મોર્ય રાજ્યના અવશેષે પર પુષ્યમિત્ર રાજ્ય કરતે હતું ત્યારે દક્ષિણ હિંદના આંધ્ર લેકે સત્તા જમાવી ઉત્તર તરફ ધસી રહ્યા હતા અને કદાચ માળવા પણ તેમણે જીતી લીધું હતું.” શિલાલેખ જૈન પદ્ધતિ અનુસાર અહંત અને સિદ્ધને પ્રણામ કરી શરુ થાય છે.' લીટનામત મુજબ ખારવેલે જૈન સંપ્રદાયના ઉત્કર્ષ માટે કરેલ કાર્યોની તેમાં નોંધ નથી, પરંતુ જૈન સમ્રાટ ખારવેલના પિતાના સાડત્રીસ વર્ષ સુધી અર્થાત્ રાજ્યકાલના તેરમાં વર્ષ સુધીને ઈતિહાસ છે જેમાં તેની વિવિધ પ્રવૃત્તિઓની નોંધ છે. શિલાલેખની ભાષા અર્ધમાગધી અર્થાત્ જેને પ્રાકૃતની છાંટવાળી અપભ્રંશ પ્રાકૃત છે અને તે ખારવેલના રાજ્યકાલના તેરમા વર્ષનો છે અથવા તે તેના પિતાના સાડત્રીશમાં વર્ષ સાથે સંલગ્ન છે; કારણ કે પંદર વર્ષ પૂરાં થતાં તે યુવરાજ બને છે અને વીશ વર્ષ પૂરાં થતાં વૈદિકવિધિ અનુસાર તેને મહારાજ્યાભિષેક પણ થાય છે. ખારવેલને આ અભિષેક સ્થાપિત રૂઢિને લગતી ક્રિયામાં જૈનધર્મ બાધક થતું નથી તે સ્પષ્ટ કરે છે. આ શિલાલેખ ખારવેલ વિષે સાચી નોંધ અને તેના જીવનના કેટલાક ખાસ બનાવે દર્શાવવા ઉપરાંત તે આ મહાન સમ્રાટની લગભગ સાચી તારીખ ઠરાવવાનું સાધન પૂરું પાડે 1. Mitra, op. and loc. cit. 2. B.D.G.P, p. 264. 3. Ganguly, op. cl, p. 47. 4. J.B.O.R.S., iii., p. 438. 5. નમો અરહંતાનં નમો સિધાનં . . . etc–bid., iv, p. 397, and xiii., p. 222, 6. J.R.A.S., 1910, p. 825. 7. J.B.J.R.S, ii, pp. 431, 438, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy