SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઃ આસ્તે જૈનશાસનની ખૂબી છે. મનશુદ્ધિથી આત્મશુદ્ધિ; અને આત્મશુદ્ધિથી મેક્ષએ વાત તે અન્ય દાર્શનિકેએ પણ કહી. પરંતુ તે મન શુદ્ધિ શી રીતે કરવી? તે તે વિગતથી જૈન શાસોએ જ જણાવ્યું છે. તેમણે જ કહ્યું છે કે, “વાણી અને કાયાના નિયત્રંણ વિના મન ઉપર નિયન્ત્રણ આવી શકતું નથી. માટે એકલા મનથી કામ ન ચાલે, તેની સાથે વાણી અને કાયાનું નિયત્રંણ પણ આવશ્યક છે. મન એ નિશ્ચય છે તે વાણી અને કાયા વ્યવહાર છે. વ્યવહારશુદ્ધિ વિના નિશ્ચયશુદ્ધિ નહિ; અને નિશ્ચયશુદ્ધિ એ સર્વનયમય આત્મશુદ્ધિ છે. તે વિના મિક્ષ નહિ. મન એ તેફાની ઘેાડે છે તે વાણી અને કાયા તેની બે લગામ છે. જેનાં વાણી અને કાયા કબજામાં તેના મનને કબજામાં આવી જતાં ઝાઝી વાર ન લાગે. આથી કેકે સાચું જ કહ્યું છે કે, “મન જાય તે જાને દે, મત જાને દો શરીર.” રે! કદાચ વાણી અને કાયા કબજામાં હશે અને મન કબજામાં નહિ આવ્યું હોય તો ય તેથી તે આત્માને જ નુકસાન થશે. પણ જે વાણી અને કાયા બેકાબૂ હશે તે સમગ્ર પ્રજા કે સંઘને તેના બાહ્ય અશુભ આચરણ-દર્શનથી પારાવાર અધર્મ પામવાનું થશે. [૬] “તસ્સ” તસ્સ એટલે પૂર્વે કરેલા સાવઘાનું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005317
Book TitlePratikraman Sutra Vivechana Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1979
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy