________________
૧૫૯ શ્રમની મુખ્ય વિહારભૂમિ-સમા મધ્યદેશમાં બારવણી દુકાળ પડયે, એ દુકાળના કારણે સાધુઓ દૂર દૂર ચાલ્યા ગયા. કેઈ પર્વતની ગુફાઓમાં ગયા તે કઈ નદીઓના તટ પર ગયા. વળી કેટલાક સમુદ્ર-કિનારે ગયા અને કેટલાક સાધુઓએ અનશનપૂર્વક દેહત્યાગ કર્યો. [૧] પાટલીપુત્રી-વાચનાઃ
આ દુકાળ બાર વર્ષ ચાલ્યું. ત્યાર બાદ સાધુઓ પાછા ફરવા લાગ્યા. પરંતુ એ વખતે જણાયું કે દુકાળના સમયમાં સ્વાધ્યાય બરાબર નહિ થઈ શકવાથી કેટલાંક સૂત્રે તદ્દન ભુલાઈ જવાયાં હતાં, એ પરથી પાટલીપુત્રમાં શ્રમણસંઘને એકત્ર કરવામાં આવ્યું, ને બચેલું શ્રુત એકઠું કરવામાં આવ્યું, તેમાં અગિયાર અંગે બરાબર મળી આવ્યાં, પણ બારમું અંગ દષ્ટિવાદ મળ્યું નહિ.
શ્રી ભદ્રબાહુસ્વામી દષ્ટિવાદના જાણકાર હતા, પણ તેઓ એ સમયે નેપાળમાં રહીને મહાપ્રાણ નામનું ધ્યાન ધરી રહ્યા હતા કે જે બાર વર્ષે સિદ્ધ થતું હતું. તેથી કેટલાક સાધુઓને તેમની પાસે મોકલવામાં આવ્યા અને તેમાંથી શ્રીસ્થૂલભદ્રજી ૧૦ પૂર્વા સુધીનું જ્ઞાન પામી શક્યા. ત્યાર બાદ શ્રી ભદ્રબાહુસ્વામી પાછા ફર્યા, પરંતુ એ વખતે એ ઘટના એવી બની ગઈ કે જેણે તેમને બાકીના પૂર્વેનું જ્ઞાન આપતા રેકી દીધા. શ્રી ક્યૂહાભદ્રજીની સાતે બહેને એ દીક્ષા લીધી હતી, તેઓ તેમને આવ્યા જાને વંદન કરવા ચાલી. આ વખતે શ્રી સ્થૂલભદ્ર પ્રાપ્ત કરેલી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org