SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ પાંચ અનુષ્ઠાન : આ લેકના સુખાદિના લક્ષથી જે ચૈત્યવંદન, સામયિક, પૂજા, યાત્રા, વિરતિની ધર્મક્રિયા કરવામાં આવે તે તે ધર્માનુષ્ઠાનેને વિષાનુષ્ઠાન કહેવામાં આવે છે. આ લોકનાં સુખાદિનું ચિત્તમાં જે લક્ષ છે તે ઝેર છે, તેનાથી શુભ-ચિત્તને તત્કાળ નાશ થાય છે. જે પાકના સુખાદિના પ્રણિધાનથી ધર્મ કરાય તે તે ગરાનુષ્ઠાન બને છે. જે શુભ-ચિત્તને હણું તે નાંખે જ છે; પણ તત્કાલ હણું નાંખતું નથી. આ લોક કે પરલક-એકેયન સુખાદિનું લક્ષ ન હેય અને મોક્ષનું ય લક્ષ ન હોય તેવા ધર્માનુષ્ઠાનેને અનનુષ્ઠાન કહેવામાં આવે છે; જે સંમૂર્ણિમ જીવની પ્રવૃત્તિ જેવા છે. જેને કેઈ વિશેષ અર્થ નથી. છતાં કયારેક બાળ-જીને વિકાસમાં કથંચિત્ ઉપાદેય બની શકે છે ખરું. પણ જે ચૈત્યવન્દનાદિ ધર્મક્રિયાઓ મેક્ષના પ્રણિધાનથી–મેક્ષના હેતુથી કરવામાં આવે છે તે તેનું અનુષ્ઠાન કહેવાય છે. આ અનુષ્ઠાનમાં અસકિયા પ્રત્યે તીવ્ર અનાદર . અને સકિયા પ્રત્યે ભારે આદર હોય છે. આનાથી પણ ચડીઆતું જે અનુષ્ઠાન છે તેને અમૃત-અનુષ્ઠાન કહેવામાં આવે છે. જેમાં ચિત્તની એવી પરમાનંદ-સ્થિતિ પેદા થાય છે કે તેમાં મેક્ષના પણ પ્રણિધાનને તે વિસરી જાય છે. ધર્મ કરતાં પ્રાપ્ત થતા આત્માનંદમાં જ એ ચિત્ત સંપૂર્ણતઃ ગરકાવ થઈ જાય છે. ” Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005317
Book TitlePratikraman Sutra Vivechana Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1979
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy