________________
7
આ પુસ્તકના સંપાદનકાર્યને પાર પાડવામાં પન્યાસ શ્રી શીલચ'દ્રવિજયજીની મળેલી સહાયના અહીં ઋણસ્વીકાર કરુ છું. પુસ્તકની પહેલી આવૃત્તિ જે કયાંયથીયે મળતી નહાતી તે પ'.શીલચ'દ્રવિજયજીએ પેાતાના અંગત પુસ્તકસંગ્રહમાંથી ખાસ ખભાતથી મગાવીને મને સુલભ કરી આપી, આખુંયે પુસ્તક વાંચી જઇ આગલી આવૃત્તિએમાં મુદ્રિત સંસ્કૃત પ્રાકૃત શ્લેકની અશુદ્ધિએ સુધારી આપી અને સમય કાઢીને આ નવી આવૃત્તિના ‘ગાગરમાં સાગર સમાવનારું પુસ્તક' એ શીષક હેઠળ ‘આમુખ' લખી આપ્યું તે બદલ એમને મારી વંદના કરું છું.
મારા આ સંપાદનકાર્ય પાછળ જશના ખરા અધિકારી dા છે મારા વડીલ મિત્ર પ્રા. જયંત કોઠારી, સામાયિકસૂત્ર'ના સંપાદનથી જ એમણે જે કામગીરી મને ભળાવી તેના જ સાતત્યરૂપે આ જિનદેવદર્શન'નું સંપાદનકાય પણ ચાલ્યું છે. સંપાદનના આરંભથી માંડી પુસ્તકના મુદ્રણ-પ્રકાશન સુધીનાં સઘળાં કામેામાં તે મારી સાથે જ રહ્યા છે. આત્મીયતાને આભાર અચૂક કઠે, છતાં અહી માની જ લઉં છું.
આ પુસ્તકના સંપાદનકાર્યની તક આપવા બદલ શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઇના મ`ત્રીએના, એ સંસ્થાના સાહિત્ય-સંશાધન વિભાગના ડાયરેકટર મુ. શ્રી કાન્તિલાલ કારાસાહેબના અને સંસ્થાના રજિસ્ટ્રાર શ્રી પન્નાલાલ ૨. શાહુના પણ હાર્દિક આભાર માનું છું.
૭, કૃષ્ણ પાર્ક, ખાનપુર,
અમદાવાદ ૩૮૦૦૦૧.
૭ ફેબ્રુઆરી ૧૯૮૯
Jain Educationa International
કાન્તિભાઈ બી. શાહ
For Personal and Private Use Only
www.jainelibrary.org