SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પર .. - શ્રી જિનેશ્ચર મહિમા જે અનુભવ્યું છે એ સમાધિમાર્ગ, તેમને કઈ પ્રકારે સંભળાવે શી રીતે ફળીભૂત થશે? એવું જાણું ગ્રંથકાર કહે છે કે આવા માને ત્યાગ કરીને કેઈ એક શ્રમણ કે બ્રાહ્મણ અજાણપણે, વગર વિચાર્યું, અન્યથા પ્રકારે માગ કહે છે એમ કહેતા હતા. તે અન્યથા પ્રકાર પછી ગ્રંથકાર નિવેદન કરે છે, કે પંચમહાભૂતનું જ કઈ અસ્તિત્વ માને છે. આત્માનું ઉત્પન્ન થવું તેથી માને છે, જેમ ઘટતું નથી. એમ જણાવી આત્માનું નિત્યપણું પ્રતિપાદન કરે છે. જે જીવે પિતાનું નિત્યપણું જાણ્યું નથી, તે પછી નિર્વાણનું પ્રયત્ન શા અર્થે થાય? એ અભિપ્રાય કરી નિત્યતા દર્શાવી છે. ત્યાર પછી ભિન્ન ભિન્ન પ્રકારે કલિપત અભિપ્રાય દર્શાવી યથાર્થ અભિપ્રાયને બંધ કરી, યથાર્થ માર્ગ વિના છૂટકે નથી, ગર્ભપણું ટળે નહીં, જન્મ ટળે નહીં, મરણું ટળે નહીં, દુઃખ ટળે નહીં, આધિ, વ્યાધિ, ઉપાધિ કંઈ ટળે નહીં, અને અમે ઉપર જે કહી આવ્યા છીએ એવા મતવાદીએ તે સૌ તેવા પ્રકારને વિષે વસ્યા છે, કે જેથી જન્મ, જરા મરણદિને નાશ થાય નહીં, એ વિશેષ ઉપદેશરૂપ આગ્રહ કરી પ્રથમાધ્યયન સમાપ્ત કર્યું છે. ત્યાર પછી અનુક્રમે તેથી વધમાન પરિણામે ઉપશમકલ્યાણ–આત્માર્થ બેઠે છે. તે લક્ષમાં રાખી વાંચન શ્રવાણ ઘટે છે. કુળધર્માર્થે “સૂત્રકૃતાંગ”નું વાંચન, શ્રવણ નિષ્ફળ છે. પાનું ૩૭૩ પત્રાંક નં. ૩૭૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005288
Book TitleJineshvar Mahima
Original Sutra AuthorN/A
AuthorJayantilal P Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1974
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy