SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનનું માહાત્મ્ય જૈન દર્શનને નાસ્તિક કહેનારને શ્રીમદ્દા સ્પષ્ટ જવામ પવિત્ર જૈન દર્શનને નાસ્તિક કહેવરાવવામાં તે એક દલીલથી મિથ્યા ફાવવા ઇચ્છે છે કે, જૈન દન આ જગતના કર્તા પરમેશ્વરને માનતું નથી; અને જે પરમેશ્વરને નથી માનતા તે તે નાસ્તિક જ છે. આ વાત ભદ્રિકજનેને શીઘ્ર ચાંટી રહે છે. કારણ તેએમાં યથા વિચાર કરવાની પ્રેરણા નથી. પણ જો એ ઉપરથી એમ વિચારવામાં આવે કે જૈન જગતને ત્યારે અનાદિ અનંત કહે છે તે કયા ન્યાયથી કહે છે? જગત્કર્તા નથી એમ કહેવામાં એમનુ નિમિત્ત શુ છે? એમ એક પછી એક ભેદરૂપ વિચારથી તેઓ જૈનની પવિત્રતા પર આવી શકે. જગત રચવાની પરમેશ્વરને અવશ્ય શી હતી? રચ્યું તેા સુખ દુઃખ મૂકવાનું કારણ શું હતું? રચીને માત શા માટે મૂકયું ? એ લીલા બતાવવી કેાને હતી ? રચ્યું તે કયાંકથી રચ્યું? તે પહેલાં રચવાની ઇચ્છા કાં નહેાતી? ઈશ્વર કાણુ ? જગતના પદાર્થ કાણુ ? અને ઈચ્છા કેણુ ? રચ્યું તો જગતમાં એક જ ધર્મીનું પ્રવર્તન રાખવું હતું; આમ ભ્રમણામાં નાખવાની અવસ્ય શી હતી ? કદાપિ એ બધું માનેા કે એ બિચારાની ભૂલ થઈ! હશે! ક્ષમા કરીએ, પણ એવું દોઢ ડહાપણ કયાંથી સૂઝયું કે એને જ મૂળથી ઉખેડનાર એવા મહાવીર જેવા પુરુષાને જન્મ આપ્યા ? એના કહેલા દાનને જગતમાં વિદ્યમાનતા આપી? પેાતાના પગ પર હાથે કરીને કુહાડ Jain Educationa International ૧૯૯ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005288
Book TitleJineshvar Mahima
Original Sutra AuthorN/A
AuthorJayantilal P Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1974
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy