________________
કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રમ ૪૪૮.બીજા અને ત્રીજા ગુણસ્થાનકે શા માટે ન કહ્યો ? ઉત્તર બીજા ગુણસ્થાનકે ઉત્કૃષ્ટ યોગનો અભાવ હોવાથી ન થાય તથા ત્રીજા
ગુણસ્થાનકે પણ જીવોને ઉત્કૃષ્ટ યોગ હોતો નથી માટે અપ્રત્યાખ્યાનીય
કષાયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કહ્યો નથી. પ્રભ ૪૪૯. પ્રત્યાખ્યાની ચાર કષાયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કોણ કરે ? ઉત્તર : દેશવિરત ગુણસ્થાનકમાં રહેલા સાત કર્મના બંધક ઉત્કૃષ્ટ યોગવાળા જીવો
પ્રત્યાખ્યાની ચાર કષાયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. પ્રશ્ન ૪૫૦.ચોથા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીયનાં ઉત્કૃષ્ટ પ્રદેશબંધ
શાથી ગણાય? ઉત્તર અનંતાનુબંધી કષાય બંધાતું ન હોવાથી તેના દલિકો અધિક
અપ્રત્યાખ્યાનાદિને મળતાં ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ગણાય. પ્રશ્ન ૪૫૧. પ્રત્યાખ્યાંનીય કષાયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ શાથી ગણાય ? ઉત્તર : : પાંચમા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાન કષાય બંધાતા ન હોવાથી તેના દલિકો - પ્રત્યાખ્યાનીયને અધિક મળતાં ત્યાં તેનો ઉત્કૃષ્ટ બંધ ગણાય છે. પ્રશ્ન ૪૫૨. જ્ઞાનાવરણીયાદિ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કોણ કરે ?
જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય ૪, અંતરાય પ, યશનામ કર્મ, ઉચ્ચ ગોત્ર અને શાનાદનીય એ ૧૭ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ દશમાં
ગુણસ્થાનકમાં વિદ્યમાન ઉત્કૃષ્ટ યોગે રહેલા જીવો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. પ્રશ્ન ૪૫૩.આ પ્રકૃતિઓનો પ્રદેશબંધ દશમા ગુણસ્થાનકે શા માટે
કહ્યો ? મોહનીય આયુષ્ય બાંધતા ન હોવાથી તેના દલિકો અધિક મળે તથા દર્શનાવરણીય કર્મમાં નવને બદલે ચાર પ્રકૃતિઓ બંધાય છે તેને મળે તથા
નામ કર્મમાં સઘળા દલિકો યશને મળે છે માટે આ ગુણસ્થાનકે કહેલ છે. પ્રબ ૪૫૪.પુરષદ સંજવલન ૪ કષાયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કોણ કરે ? ઉત્તર આ પાંચ પ્રકૃતિઓ નવમા ગુણસ્થાનકે પોત પોતાના ભાગે ક્ષય થતાં ઉત્કૃષ્ટ
યોગે વર્તમાન જીવો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. પ્રશ્ન ૪૫૫. પુરુષવેદાદિનો પ્રદેશબંધ નવમા ગુણસ્થાનકે શા માટે કહ્યો
ઉત્તર
ઉત્તર
ઉત્તર આ પ્રકૃતિઓને હાસ્ય-રતિ-ભય-જુગુપ્સાનો ભાગ અધિક મળતો હોવાથી
નવમાં ગુણસ્થાનકનું ગ્રહણ કરેલ છે. પ્રશ્ન ૪પ૬. શુભ વિહાયોગતિ આદિ તેર પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ
કોણ કરે ?
ઉત્તર
શુભ વિહાયોગતિ-મનુષ્પાયુષ્યદેવત્રિક-સુભગત્રિક-વૈક્રીયદ્ધિક-સમચતુરસ્ત્ર સંસ્થાન-અશાતાદનીય અને વ્રજ8ષભનારા સંઘયણ આ તેર પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સમષ્ટિ અથવા મિથ્યાદ્રષ્ટિ જીવો કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org