SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર ર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ ૫૯ પ્રશ્ન ૩૭૫. ગુણશ્રેણી કેટલી હોય? કઈ કઈ? અગિયાર ૧. સમ્યકત્વ ર. દેશવિરતિ ૩. સર્વવિરતિ ૪. અનંતાનુબંધી વિસંયોજના ૫. દર્શનમોહનીય ક્ષય ૬. ચારિત્ર મોહનીય ઉપશમક ૭. ઉપશાંત મોહ ૮. ચારિત્ર મોહનીય ક્ષેપક ૯. ક્ષીણ મોહ ૧૦. સયોગી કેવળી ૧૧. અયોગી કેવલી ગુણશ્રેણી કહેવાય છે. પ્રમ ૩૭૬. સમ્યકત્વ ગુણશ્રેણી કોને કહેવાય ? કયારે હોય અને કેટલા કાળની હોય ? શાથી ? ઉત્તર સમ્યકત્વની પ્રાપ્તિકાળ સમયે અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના અધ્યવસાયથી મંદ વિશુદ્ધિવાળા જીવોને મોટા અંતમુહૂર્ત સુધી દલિકોનું વેદન થાય તે રીતે અલ્પઅલ્પ દલિકોની રચના વિશેષજે કરાયતે સમ્યકત્વ ગુણશ્રેણી કહેવાય છે. પછી ઉપરના ભાગમાં ગુણશ્રેણી વધતી નથી. પ્રમ ૩૭૭.દેશવિરતિ ગુણશ્રેણી કોને કહેવાય ? કેટલા કાળની હોય ? ક્યારે હોય ? શાથી ? દેશવિરતિની પ્રાપ્તિ કાળે સંખ્યાત ગુણહીન અંતરમુહૂર્ત પ્રમાણ વેદાતી અસંખ્યગુણ અસંખ્યગુણ દલિકોની રચના વિશેષવાળી રચના વિશેષ તથા દેશવિરતિ ગુણ પ્રાપ્તિ વિશેષ તે દેશવિરતિ ગુણશ્રેણી કહેવાય છે. પ્રમ ૩૭૮. સર્વવિરતિ ગુણશ્રેણી કોને કહેવાય ? કેટલા કાળની હોય ? ક્યારે હોય? શાથી? સર્વવિરતિ ગુણની પ્રાપ્તિના કાળમાં સંખ્યાત ગુણહીન અંતરમુહૂર્ત પ્રમાણ વેદનવાળી અસંખ્યગુણ અસંખ્યગુણ દલિકોની રચના વિશેષ કે જેનાથી જીવોને સર્વવિરતિ ધર્મના ગુણોની પ્રાપ્તિ થાય તે સર્વવિરતિ ગુણશ્રેણી કહેવાય. પ્રશ્ન ૩૭૯. અનંતાનુબંધિ વિસંયોજના ગુણશ્રેણી કોને કહેવાય ? કેટલા કાળની હોય ? જ્યારે હોય ? શાથી ? ક્ષયોપશમ સમીતી ચારથી સાત ગુણસ્થાનકમાં રહેલા જીવો અત્યંત વિશુદ્ધિ એટલે તપ્રાયોગ્ય વિશુદ્ધિના કારણે અનંતાનુબંધી ચાર કષાયના ક્ષય કરવાના સમયે એટલે તે ચાર કષાયની વિસંયોજના કરવાના અધ્યવસાયે સંખ્યાત ગુણહીન અંતરમુહૂર્ત દવા લાયક દલિકોને અસંખ્યગુણ અસંખ્યગુણના કામે ગોઠવવાની જે રચના વિશેષ તે અનંતાનુબંધી વિસંયોજના ગુણશ્રેણી કહેવાય. પ્રમ ૩૮૦. દર્શન મોહનીય ક્ષેપક ગુણશ્રેણી કોને કહેવાય ? કેટલા કાળની હોય ? ક્યારે ય ? શાથી ? કાળની છાલ * * ચારથી સાત ગુણસ્થાનકમાં રહેલા ક્ષયોપશમ સમકિતી જીવો અનંતાનુબંધ ચાર કલાકનો ક્ષય કર્યા બાદ વિશુદ્ધ પરિણામ વડે દર્શનમોહનીય ત્રણ ઉત્તર ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005277
Book TitleKarmgranth 05 by 04 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy