________________
૪૬
કમગ્રંથ પાંચમો ભાગ - ૪
પ્રશ્ન ૨૮૦. ઔદારિક આદિ ત્રણ વર્ગણાઓ કેટલા સ્પર્શી હોય ?
શાથી ?
ઉત્તર
પ્રશ્ન ૨૮૦.બાકીની વર્ગણાઓ કયા પ્રકારની અને કેવી હોય ? શાથી ? બાકીની પાંચ વર્ગણાઓ ચાર સ્પર્શી અને અગુરુલઘુ હોવાથી સમુહ ભેગો થાય તો પણ (આત્માની જેમ) વજન થતું નથી.
ઉત્તર
ઔદારિક-વૈક્રીય -આહારક આ ત્રણ વર્ગણાઓ આઠ સ્પર્શી અને ગુરુલઘુ છે. જેથી સમુદાયનું કાંઈક વજન થાય છે.
પ્રશ્ન ૨૮૧. પુદ્ગલોમાં સ્નેહ સ્વાભાવિક કયા પ્રકારનાં હોય ? તેનાથી શું કાર્ય થાય ?
ઉત્તર
ઉત્તર
પુદ્ગલોમાં ચીકાસ તેમજ રૂક્ષતા સ્વાભાવિક હોય છે. પુદ્ગલોનો પરસ્પર સંબંધ સ્નેહથી (ચીકાસથી) થાય છે. ચીકાસ અને રૂક્ષતાના ગુણથી જ પુદ્ગલો પરસ્પર જોડાય છે. સ્નેહની વધઘટ પણ પુદ્ગલ સ્વભાવથી જ થાય છે.
પ્રશ્ન ૨૮૩.પુદ્ગલ પરમાણુઓ જગતમાં કેટલી રીતે જોડાયા છે ? કયા ?
પુદ્ગલ પરમાણુઓ જગતમાં ત્રણ રીતે જોડાય છે. ૧. સ્નેહ પ્રત્યય સ્પર્ધકો લોકમાં રહેલા સઘળા પરમાણુ પુદ્ગલો ૨. નામ પ્રત્યય સ્પર્ધકો-બંધન નામ કર્મના ઉદયથી બદ્ધ થયેલ શરીરના પુદ્ગલો ૩. પ્રયોગ પ્રત્યય સ્પર્ધકો-યોગરૂપ હેતુથી ગ્રહણ કરાયેલ પુદ્ગલો.
પ્રશ્ન ૨૮૪.પુદ્ગલ દ્રવ્યોના કેટલા ભેદો હોય ? કયા ?
ઉત્તર છ ભેદો હોય. ૧. બાદર બાદરપુદ્ગલ ૨. બાદર પુદ્ગલ ૩. બાદર સૂક્ષ્મ પુદ્ગલ ૪. સૂક્ષ્મ બાદર પુદ્ગલ ૫. સૂક્ષ્મ પુદ્ગલ ૬. સૂક્ષ્મ સૂક્ષ્મ પુદ્ગલો હોય છે.
પ્રશ્ન ૨૮૫.બાદર બાદર પુદ્ગલ કોને કહેવાય ? કયા હોય ?
ઉત્તર
જે પુદ્ગલોના ટુકડા થયા બાદ બંને ભેગા ન થઈ શકે એવા જે પુદ્ગલો તે બાદર બાદર પુદ્ગલ જેમ કે પથ્થર, લાકડું, ઘાસ વિ.
પ્રશ્ન ૨૮૬.બાદર પુદ્ગલ કોને કહેવાય ? કયા કયા ગણાય ?
ઉત્તર જે પુદ્ગલોનાં ટુકડા થયા બાદ ભેગા થઈ જાય એટલે સંધાઈને આખા થઈ જાય જેમ કે જલ, ઘી, તેલ વિ.
પ્રશ્ન ૨૮૭.બાદર સૂક્ષ્મ પુદ્ગલો કોને કહેવાય ? કયા ગણાય ?
ઉત્તર
જે પુદ્ગલો દેખી શકાય પણ ગ્રહણ કરવા જતાં ગ્રહણ ન થાય તે જેમ કે છાયા, તડકો, ચાંદનીનું અજવાળું વિ.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org