________________
૯૫
ઉત્તર
કપે ચમો ભાગ - ૪ - - ૬૧૧.નપુંસકવેદે શ્રેણી માંડે તો કયા કમથી ક્ષય કરે ? ઉત્તર તે આ પ્રમાણે પહેલાં સ્ત્રીવેદ પછી પુરુષવેદ પછી હાસ્યાદિ ૬ અને પછી
નપુંસકવેદનો ક્રમ જાણવો. પ્રશ્ન ૬૧૨. નવમાના છઠ્ઠા ભાગના અંતે કઈ પ્રકૃતિનો કેટલીનો ક્ષય કરે
? કેવી રીતે ? ઉત્તર પુરુષવેદનો ક્ષય કરે તેમાં તેના ત્રણ ભાગ કરીને બે ભાગને એક સાથે ક્ષય
કરે અને ત્રીજો ભાગ સંજવલન કોધમાં નાંખે છે. પ્રશ્ન ૬૧૩.નવમાના સાતમા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો ક્ષય કરે ?
કઈ રીતે ? ઉત્તર એક સંજવલન ક્રોધનો ક્ષય કરે તેમાં તેના થોડા દલકો સંજવલન માનમાં
નાંખે છે. પ્રભ ૬૧૪.નવમાના આઠમા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો ક્ષય થાય ?
કઈ રીતે ? એક સંજવલન માનનો અંત કરે (ાય કરે) તેમાં માનના થોડા દલિકો
સંજવલન માયામાં નાખે છે. પ્રભ ૬૧૫. નવમા ગુણસ્થાનકના નવમા ભાગના અંતે કેટલી પ્રકૃતિ
ઓનો અંત થાય ? કઈ રીતે ? ઉત્તર એકનો અંત. સંજવલન માયા તેમાં થોડા દલિકો સંજવલન લોભમાં નાખે છે. પ્રશ્ન ૬૧૬. સંજવલન લોભને શી રીતે ખપાવે ? તેના કેટલા ભાગ કરે
કયા ? ઉત્તર સામાન્ય રીતે ત્રણ ભાગ કરે ૧. અશ્વકરણધ્ધા ૨. કિટ્રીકરણધ્ધા ૩. કિટ્ટી
વેદન અધ્ધા તેમાં બે ભાગના સંખ્યાતા ખંડ કરી કરીને બાદર લોભને નવમા
ગુણસ્થાનકોમાં ક્ષય કરે છે. પ્રશ્ન ૬૧૭. સુક્ષ્મ લોભનો કયાં ક્ષય કરે ? કઈ રીતે ? ઉત્તર સુમ લોભને દશમા ગુણસ્થાનકમાં ક્ષય કરે છે તેમાં તે લોભનો છેલ્લો અંશ
તેના અસંખ્યાતા ખંડો (ભાગોકરી કરીને ભોગવે અને ક્ષય કરે તેમાં જે છેલ્લો અંશ હોય તેનો અસંખ્યાતમો ભાગ કરી ક્ષય કરે. આ રીતે પ્રતિસમયે એક એક ખંડના અસંખ્યાતા અસંખ્યાતા ટુકડા કરીને મુળથી લોભનો ક્ષય
કરે છે. પ્રભ ૬૧૮.ક્ષીણમોહ ગુણસ્થાનકના દ્વિચરિમ સમયે કેટલી પ્રકૃતિનો ક્ષય
કરે ? કઈ ? ઉત્તર બે પ્રકૃતિનો ક્ષય કરે નિદ્રા - પ્રચલા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org