________________
ઉત્તર
પાંચમો ભાગ - ૪
૯૩. પ્રશ્ન પ૯૮.અનંતાનુબંધી આદિ છનો ક્ષય કરી જીવો કયાં કયાં જઈ શકે ?
કઈ રીતે ? સાયિક સ ત્ત્વ પામવા માટે પુરુષાર્થ કરનાર મનુષ્ય અનંતાનુબંધિ ૪, મિથ્યાત્વ-મિશ્રનો ક્ષય કર્યા બાદ અને સ ત્ત્વ મોહનીય ઘણુંખરું ક્ષય કર્યા બાદ સમકિત પામતાં પહેલાં આયુષ્ય ચારે ગતિમાંથી કોઈ પણ ગતિનું બાંધેલું હોય તેવા અને આયુષ્ય પૂર્ણ થતાં કાળ કરી ચાર ગતિમાંથી કોઈ પણ ગતિમાં ઉત્પન્ન થઈ શકે છે. આ કારણથી પ્રસ્થાપક એટલે ક્ષાયિક સમકિતના પ્રારંભક મનુષ્ય અને નિષ્ઠાપક એટલે કે પૂર્ણતા ચાર ગતિમાં
ગણાય છે. પ્રશ્ન પ૯૯.નિષ્ઠાપક મનુષ્ય-તિર્યંચમાં થાય તો કયા આયુષ્યવાળા
જીવોમાં થાય ? ઉત્તર નિષ્ઠાપક જે મનુષ્ય અને તિર્યંચમાં જાય તે અસંખ્ય વર્ષના આયુષ્યવાળા
યુગલિકમાં થાય મરીને સંખ્યાત વર્ષના આયુષ્યમાં નિષ્ઠાપક થતાં નથી. પ્રશ્ન ૬૦૦. ક્ષાયિક સમકિત પામી અટકી જનાર જીવોને કેવા પ્રકારના
કહેવાય ? ઉત્તર આ જીવોને ખંડ ૧પક શ્રેણિવાળા જીવો કહેવાય છે. પ્રશ્ન ૬૦૧, ક્ષાયિક સમકિત પામી તે ભવમાં ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરી શકે?
ન કરી શકે તો શા કારણથી ન કરી શકે ? ઉત્તર સાયિક સમકિત પામેલ જીવો પહેલાં આયુષ્ય બાંધેલ હોય તો ચારિત્ર
મોહનીયને ખપાવવા માટે ક્ષપકશ્રેણી પ્રાપ્ત ન કરી શકે તથા આયુષ્ય અબંધક ક્ષયોપશમ સમકિતના કાળમાં જિનનામની નિકાચના કરેલ હોય તો તે ભવમાં પણ ચારિત્ર મોહનીય ખપાવવા માટે ક્ષપકશ્રેણી પ્રાપ્ત ન કરે તે સિવાયના જીવો અવશ્ય ચારિત્ર મોહનીયના નાશ માટે ક્ષપકશ્રેણી પ્રાપ્ત
કરે છે. પ્રશ્ન ૬૦૨. ચરમ શરીરી જીવોને સત્તામાં શું ન હોય ? ઉત્તર ચરમ શરીરી જીવોને પોતાના ભવના આયુષ્ય સિવાય ત્રણ આયુષ્ય સત્તામાં
હોતા નથી, પ્રમ ૬૦૩. ચારિત્ર મોહનીય કર્મની લપણા માટે જીવો શું કાર્ય કરે ?
ત્રણ કરણ કરે છે. યથાપ્રવૃત્તકરણ તે અપ્રમત સાતમું ગુણસ્થાનક. અપૂર્વકરણ તે આઠમું ગુણસ્થાનક ગણાય કે જ્યાં પાંચ અપૂર્વ વસ્તુ પ્રાપ્ત કરે કે જેનાથી ઘણાં સ્થિતિઘાતો તથા રસઘાતો કરે છે અને અનિવૃત્તિકરણ
કર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org