SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ કર્મગ્રંથ પમો ભાગ-૩ ઉત્તર જ્ઞાનાવરણીયાદિ-૧૪ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકના ચરમ સમયે શપક શ્રેણીવાળા જીવો જ્યારે કરે છે તે સાદિ બંધ કહેવાય છે. તે સ્થાન છોડી જ્યારે જીવો ત્યાંથી બારમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે ત્યારે તે બંધ અધુવ બંધ કહેવાય છે. ૩૭૦.જ્ઞાનાવરણીયાદિ-૧૪ પ્રકૃતિઓને વિષે ઉત્કૃષ્ટ બંધના બે ભાંગા કઈ રીતે પ્રાપ્ત થાય ? ઉત્તર જ્ઞાનાવરણીયાદિ-૧૪ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સની પંચેન્દ્રિય પર્યાપ્તા મિથ્યાદ્રષ્ટિ જીવો જયારે કરે છે ત્યારે તેનો સાદિ બંધ કહેવાય છે. તે સ્થિતિબંધ કર્યા પછી અંતર મુહૂર્ત બીજો સ્થિતિબંધ કરે ઉત્કૃષ્ટ વિના તે અધુવ બંધ ગણાય છે. ૩૭૧. જ્ઞાનાવરણીયાદિ-૧૪ પ્રકૃતિઓનાં અનુત્કૃષ્ટ બંધના બે ભાંગા કઈ રીતે પ્રાપ્ત થાય? | ઉત્તર જ્ઞાનાવરાણીયાદિ-૧૪ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કર્યા પછી અંતરમુહૂર્વે જીવો જે સ્થતિ બંધ કરે છે તે અનુષ્ટ સ્થિતિબંધ કહેવાય છે તે સાદિ બંધ કહેવાય છે. જ્યારે ફરીથી જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે તે અનુષ્ટ બંધનો અપ્રુવ બંધ કહેવાય છે. ૩૭૨. બાકીની ૧૦૨ પ્રકૃતિઓનાં ઉત્કૃષ્ટાદિ બંધનાં કેટલાં કેટલાં ભેદો હોય ? ક્યા? ઉત્તર ઉપર જણાવેલ ૧૮ પ્રકૃતિઓ સિવાયની બાકીની ૧૦૨ પ્રકૃતિઓ આ પ્રમાણે જાણવી. દર્શનાવરણીય-૫, વેદનીય-૨, મોહનીય-૨૨, આયુષ્ય-૪, નામકર્મ૬૭, ગોત્ર-૨, અંતરાય-૦ = ૧૦૨ આ પ્રકૃતિઓનાં ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ અજઘન્ય તથા જઘન્ય બંધના બબ્બે ભાંગા હોય. ૧. સાદિબંધ 2. અધુવબંધ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy