SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ. : ઇન્દ્રિયોની સહાય વગર જે આત્માના બળથી સીધુ જ્ઞાન પ્રગટ થાય છે તે પ્રત્યક્ષજ્ઞાન કહેવાય છે. પ્ર. ૬૦. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને એક સાથે કેમ કહ્યા છે ? ઉ. : મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એકી સાથે રહે છે. તેમાં પરસ્પર બન્નેને સ્વામિ, કાલ, કારણ, વિષય અને પરોક્ષપણાએ સરખાપણું હોય છે. માટે એક છે. પ્ર. ૬૧.મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન સ્વામિપણાએ એક હોય છે તે કઇ રીતે ? ઉ. : મતિજ્ઞાનમાં જે સ્વામિ હોય છે તેજ શ્રુતજ્ઞાનનાં હોય છે.આગમમાંકહ્યું છે કે ઃ “જત્થ મઇનાણું તત્વ સુયનાણું, જત્થ સુયનાણું તત્વ મઇનાણું” એ વચન પ્રામાણ્યપણાએ જાણવાં. પ્ર.૬૨. મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન કાલપણાએ એક દેખાય છે તે કઇ રીતે ? ઉ. : જેટલી મતિજ્ઞાનની સ્થિતિ કહેલી હોય છે તેટલી શ્રુતજ્ઞાનની પણ સ્થિતિ જાણવી. પ્રવાહની અપેક્ષાએ અતીત, અનાગત અને વર્તમાન (ભૂત, ભવિષ્ય, વર્તમાન) સઘળાય કાળમાં બન્ને જ્ઞાનો હોય છે. જ્ઞાનથી નહિ પડેલા એક જીવને આશ્રયીને ૬૬ સાગરોપમથી અધિક સ્થિતિ બન્ને જ્ઞાનોની હોય છે. પ્ર. ૬૩. મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન કારણપણાએ, વિષયપણાએ તથા પરોક્ષપણાએ એક હોય છે તે કઇ રીતે જાણવા ? ઉ. : મતિજ્ઞાની સર્વદ્રવ્યાદિ વિષયોને જાણે છે એ જ પ્રમાણે શ્રુતજ્ઞાની પણ સર્વદ્રવ્યાદિ વિષયોને જાણે છે. આ વિષય સાધર્મ્ડ ગણાય છે, જેમ મતિજ્ઞાન પરોક્ષ છે તેમ શ્રુતજ્ઞાન પણ પરોક્ષ છે તે પરોક્ષ સાધર્મ જાણવું. પ્ર. ૬૪. મતિ તથા શ્રુત- જ્ઞાન અવધિજ્ઞાનાદિથી પહેલા શા માટે કહ્યા ? ઉ. : મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન હોય ત્યારે અવધિજ્ઞાન વગેરેનો સદ્ભાવ થાય છે. ઉત્પન્ન થઇ શકે છે. માટે અવધિજ્ઞાન વગેરેથી પહેલા કહેલા છે. પ્ર. ૬૫. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન અવધિજ્ઞાનાદિથી પહેલા હોય છે. એમ જણાવ્યું તેમાં એટલે મતિશ્રુતની મધ્યમાં મતિજ્ઞાન પહેલા શાથી ? અને શ્રુતજ્ઞાન પછી શાથી હોય છે ? ઉ. : સઘળી જગ્યાએ પહેલા અવગ્રહાદિરૂપ મતિજ્ઞાન થાય છે પછી શ્રુત થાય છે તથા સ્વામિ આદિ ભેદથી એક હોવા છતાં પણ નીચેના કારણોમાં જુદાપણું હોય છે તેથી મતિજ્ઞાન પહેલા જણાવાયું છે : (૧) લક્ષણ (૨) હેતુલભાવથી (૩) ભેદ (૪) ઈન્દ્રિય વિભાગ (૫) વલ્ક શુંબપણામાં (૬) સાક્ષર-અનક્ષર (૭) મૂક-અમૂકપણાએ ભિન્ન હોવાથી મતિજ્ઞાન પહેલું જણાવેલ છે. Jain Education International १० For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy