SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ સંયોગોમાં રાગ, અનિષ્ટ સંયોગોમાં દ્વેષ પેદા થાય છે. એ રાગ અને દ્વેષ મોહનીય કર્મના હેતુ છે. એ અર્થ જણાવવા માટે વેદનીય કર્મ પછી મોહનીય કર્મ કહેલ છે. પ્ર. ૪૫. મોહનીય કર્મ પછી આયુષ્ય કર્મ શાથી? ઉ. : મોહનીય કર્મમાં મુંઝાયેલા પ્રાણીઓ મહા આરંભ અને મહાપરિગ્રહ વગેરેમાં આસક્ત હોય છે. અને મહારંભ વગેરે નરકાદિ આયુષ્યનાં કારણો કહેલાં છે તે કારણથી મોહનીય કર્મ પછી આયુષ્ય કર્મ કહેલ છે. પ્ર. ૪૬. આયુષ્ય કર્મ પછી નામ કર્મ શાથી ? ઉ.: નરક આયુષ્યનો ઉદય હોય તો અવશ્ય નરકગતિ વગેરેનો ઉદય હોય છે તેથી આયુષ્ય પછી નામ કર્મ કહેલ છે. પ્ર. ૪૭. નામ કર્મ પછી ગોત્ર કર્મ શાથી ? ઉ. : નામ કમનો ઉદય હોય તો અવશ્ય ઉચ્ચ ગોત્ર અથવા નીચ ગોત્રનો ઉદય થાય છે. માટે નામ કર્મ પછી ગોત્ર કર્મ કહેલ છે. પ્ર. ૪૮. ગોત્ર કર્મ પછી અંતરાય કર્મ શાથી ? ઉ. ઉચ્ચ કુલમાં ઉત્પન્ન થયેલાને પ્રાયઃ કરીને દાન, લાભ વગેરેનો ક્ષયોપશમ ભાવ દેખાય છે જ્યારે નીચ ગોત્રના ઉદયવાળા જીવોને પ્રાયઃ કરીને દાનલાભાંતરાયાદિનો ઉદય દેખાય છે તે અર્થને જણાવવા માટે ગોત્ર કર્મ પછી અંતરાય કર્મ કહેલ છે. મઈસુઅઓહમણકેવલાણિ, નાણાણિ તત્થ માંનાણું, વંજણવગ્રહ ઉહા, મણનયણવિણિદિયચઉકા ૪ | ભાવાર્થ : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, તથા કેવલજ્ઞાન એમ પાંચ પ્રકારે જ્ઞાન હોય છે. તેમાં વ્યંજનાવગ્રહ રૂપ મતિજ્ઞાન મન અને ચક્ષુરીન્દ્રિય સિવાય ચાર પ્રકારનું હોય છે. પ્ર. ૪૯. મતિજ્ઞાન કોને કહેવાય ? ઉ.: ચિંતન કરવું એનું નામ મતિ કહેવાય છે. અથવા પાંચ ઈન્દ્રિય અને મન દ્વારા નિયત દેશમાં રહેલી વસ્તુનું જ્ઞાન જેના વડે થાય છે. (મતિને યોગ્ય દેશમાં રહેલી વસ્તુનો ઈન્દ્રિય અને મનનાં નિમિત્તથી જે બોધ વિશેષ) તે મતિજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૦. મતિજ્ઞાનને આગમમાં શું કહે છે? ઉ. : મતિજ્ઞાનને આગમમાં આભિનીબોધિક જ્ઞાન કહેવાય છે. પ્ર. ૫૧. શ્રુતજ્ઞાન કોને કહેવાય ? ઉ. સાંભળવું તે શ્રુત કહેવાય છે. કહેવાયેલા શબ્દના અર્થના ગ્રહણમાં હેતુ ભુત જે જ્ઞાન વિશેષ તે શ્રુતજ્ઞાન કહેવાય છે. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy