SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ. : જાણતાં એવાં પ્રાણીઓને પણ સદ્ અસદ્ વિવેકથી રહિત કરે અર્થાત્ તેમાં મુંઝવણ પેદા કરનાર કર્મ તે મોહનીય કર્મ કહેવાય છે. પ્ર. ૩૫. આયુષ્ય કર્મ કોને કહેવાય ? ઉં. : ગત્યંતરમાં જે લઈ જાય છે તે આયુષ્ય અથવા જે ગતિને વિષે પ્રતિબંધકતાને કરે, પોતે કરેલા કર્મના કારણે નરકાદિ દુગતિમાંથી મનથી પણ નીકળવાવાળા પ્રાણીને રોકી રાખે તે આયુષ્ય અથવા ભવથી ભવાંતરમાં જતા પ્રાણીઓની સાથે અવશ્ય ઉદયમાં આવે છે તે આયુષ્ય કર્મ કહેવાય છે. પ્ર. ૩૬. સઘળા કર્મો ઉદયમાં આવે છે. છતાં પણ આયુષ્ય માટે વિશેષ શા માટે જણાવેલ છે ? ઉ. બાકીના કર્મો (એટલે આયુષ્ય સિવાયના) બંધાયા પછી આ ભવમાં પણ ઉદયમાં આવે છે. કેટલાક પ્રદેશોદયથી પણ ભોગવાય છે. તથા કેટલાક કર્મો જન્માંતરમાં પોતાના વિપાકથી ઉદયમાં આવતા પણ નથી. જ્યારે આયુષ્ય કર્મમાં એમ બનતું નથી. જે ભવમાં બંધાય છે તે ભવમાં ઉદયમાં આવતું નથી. બીજા ભવમાં જતાં પોતાના વિપાકથી અવશ્ય ઉદયમાં આવે છે. આવા પ્રકારનો વિશિષ્ટ ઉદય હોવાથી આયુષ્ય કર્મની એ રીતે વિવક્ષા કરી છે. પ્ર. ૩૭. નામ કર્મ કોને કહેવાય ? ઉ. ગતિ જાતિ શરીર આદિ ઘણાં પર્યાયોનો અનુભવ જીવને કરાવે તે નામ કર્મ કહેવાય છે. પ્ર. ૩૮. ગોત્ર કર્મ કોને કહેવાય ? ઉ. ઉચ્ચ વચનો વડે (શબ્દો વડે) અને નીચ શબ્દો વડે જે કારણથી આત્માને બોલાવાય છે તે ગોત્ર કર્મ કહેવાય છે. પ્ર. ૩૯. અંતરાય કર્મ કોને કહેવાય ? ઉ. : દાનાદિ લબ્ધિઓ જેના વડે વિશેષ કરીને હણાય છે તે અંતરાય કર્મ કહેવાય છે. પ્ર. ૪૦. જ્ઞાનાવરણીયાદિ કર્મના દરેકના ઉતર ભેદો કેટલા છે ? ઉ. : જ્ઞાનાવરણીયાદિ કર્મોના ઉત્તર ભેદો આ પ્રમાણે છે - (૧) જ્ઞાનાવરણીય કર્મના ૫ ભેદ (૨) દર્શનાવરણીય કર્મના ૯ ભેદ (૩) વેદનીય કર્મના (૪) મોહનીય કર્મના ૨૮ ભેદ (૫) આયુષ્ય કર્મના (૬) નામ કર્મના ૧૦૩ ભેદ (૭) ગોત્ર કર્મના ૨ ભેદ ૨ ભેદ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy