________________
મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ અલંકૃત મહાકાવ્યો છે અને અર્વાચીન અર્થમાં જેને “જીવનચરિત' કહેવામાં આવે છે તે નથી. સુરત્સવ'નું વસ્તુ પૌરાણિક છે, પણ એમાં પટંતરે ઈતિહાસ વણી લીધેલ હોઈ રાજા ભીમદેવ બીજાની ચડતી પડતી વૃત્તાન્ત આલેખાયો હોય એમ જણાય છે (પેરા ૭૫). આ ભીમદેવના રાજ્યકાળમાં વસ્તુપાળે પિતાની રાજકીય કારકિર્દીને આરંભ કર્યો હતો ( પેરા ૪૭). “ધર્માભ્યદયને ઐતિહાસિક ભાગ વસ્તુપાળે એક શ્રદ્ધાળુ શ્રાવક તરીકે કરેલી યાત્રાઓના વર્ણનમાં રોકાયેલ છે (પેરા ૧૬૨-૬૪). જયસિંહસૂરિકૃત ‘હમ્મીરમદમન” નાટક (ઈ. સ. ૧૨૧૦ અને ૧૨૩૦ ની વચ્ચે) વસ્તુપાળની રાજકીય અને લશ્કરી કારકિર્દી માટે અગત્યનું છે, કેમકે ગુજરાત ઉપરને એક મુરિલમ આક્રમણને પાછું વાળવામાં એણે વાપરેલી કુનેહનું એમાં આલેખન છે (પેરા ૨૦૦-૨૦૨). વસ્તુપાળના ગુરુ વિજયસેનસૂરિકત “રેવંતગિરિરાસુ” તથા પિતાને “પામ્હણુપુત્ર તરીકે ઓળ
ખાવતા કવિએ રચેલો “આબુરાસ” એ અપભ્રંશ કાવ્યો છે. “રેવંતગિરિ રાસુમાં વસ્તુપાળે કરેલી રેવંતિગિરિ અથવા ગિરનારની યાત્રાનું વર્ણન છે,
જ્યારે આબુરાસ’માં આબુ ઉપર તેણે બાંધેલાં મન્દિરનું વર્ણન છે. (જુઓ પ્રકરણ ૧૨). જિનભદ્રકૃતિ “પ્રબન્ધાવલિ' (ઈ. સ. ૧૨૩૪) નોંધપાત્ર છે, કેમકે પ્રબન્ધના સાહિત્યપ્રકારને એ જૂનામાં જૂને ઉપલબ્ધ નમૂને છે (જુઓ પ્રકરણ ૧૧) તથા એમાં લેખકે વસ્તુપાળના જીવનના એવા બનાવની નોંધ કરી છે, જે ઐતિહાસિક આનુપૂર્વીના કેટલાક અગત્યના પ્રશ્નો ઉકેલવામાં સહાયભૂત થાય છે (પંરા ૧૨૯). આ ઉપરાંત નરેન્દ્રપ્રભસૂરિકત “વસ્તુપાલપ્રશસ્તિ” નામે બે નાનાં કાવ્યો (પેરા ૧૨૨ અને ૨૧ ૬), નરચન્દ્રસૂરિની એક “વસ્તુપાલપ્રશસ્તિ ” ( પેરા ૨૧૫) તથા ઉદયપ્રભસૂરિકૃત “વસ્તુપાલસ્તુતિ' (પેરા ર૧૪) એ પ્રશસ્તિકાવ્યો છે અને મુખ્યત્વે વસ્તુપાળનાં સુકૃત્યોનું વર્ણન કરે છે. આ સમકાલીન રચનાઓ ઉપરાંત બીજી સંખ્યાબંધ એવી રચનાઓ છે કે જેમાં વસ્તુપાળ કે બીજી કોઈ ઐતિહાસિક વ્યક્તિનું જીવન એ મુખ્ય વિષય નથી, પણ જેમની પ્રશસ્તિઓ કે પુપિકાઓમાંથી અથવા પ્રિન્થના અંતર્ગત પ્રકીર્ણ ઉલ્લેખોમાંથી અગત્યની માહિતી મળે છે.
પછીના કાળનાં સાહિત્યિક સાધન ૪૧, પછીના કાળનાં સાહિત્યિક સાધનામાં મેરૂતુંગકૃત “પ્રબન્ધચિન્તામણિ' (ઈ. સ. ૧૩૦૫), રાજશેખરસૂરિકૃત “પ્રબન્ધકાશ' (ઈ. સ. ૧૩૪૯) તથા તેરમા ચૌદમા અને પંદરમા સૈકાઓમાં રચાયેલા કેટલાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org