________________
પ્રકરણ ૧] સાંસ્કૃતિક અને સાહિત્યિક પાર્વભૂમિકા [ ૧૧ અર્વાચીન કાળમાં, અથવા “કાશિકા' ઉપરના જિનેન્દ્રબુદ્ધિકૃત “ન્યાસને માધે જે ઉલ્લેખ કર્યો છે એ જોતાં ઈ. સ. ૭૦૦ આસપાસ મૂકી શકાય,૧૮ કેમકે માઘને દાદો સુપ્રભદેવ વર્મલાતને પ્રધાન હતો. માધે “શિશુપાલવધીને પ્રત્યેક સર્ગ “શ્રી” શબ્દથી પૂરો કર્યો છે અને પરિણામે તે “યંક' તરીકે ઓળખાય છે, તે શ્રીમાલ સાથે એના સંબંધને કારણે હશે.૧૯
૧૪. બીજો એક શ્રીમાલવાસી સુપ્રસિદ્ધ વિદ્વાન તે જ્યોતિષી બ્રહ્મગુપ્ત છે. તેણે પિતાને પ્રન્થ “બ્રાહ્મસ્ફટસિદ્ધાન્ત’ શક સં. ૫૫૦ અર્થાત્ ઈ. સ. ૬૨૮ માં પૂરો કર્યો હતો. એ સમયે ત્યાં ચાપવંશને વ્યાધ્રમુખ નામે રાજા રાજ્ય કરતો હતો. પિતે જે શહેરમાં નિવાસ કરતો હતો એના નામ ઉપરથી બ્રહ્મગુપ્ત ભારતીય સાહિત્યમાં “ભિલ્લમાલકાચાય” તરીકે પ્રસિદ્ધ છે.
૧૫. શ્રીમાલ જૈન સાહિત્યનું પણ કેન્દ્ર હતું. સિર્ષિની સુપ્રસિદ્ધ ઉપમિતિભવપ્રપંચકથાના કર્તાના પિતાના જ કથન મુજબ ત્યાં વિ. સં. ૯૬૨ (= ઈ. સ. ૯૦૬) માં એ કથા પૂરી થઈ હતી. જૈન સાહિત્યનો “ધર્મકથા” એ નામે ઓળખાતે પ્રકાર આ રૂપકગ્રન્થિ લેખે આલેખાયેલ વિસ્તૃત કથામાં પરાકાષ્ઠાને પામે છે. આ ગ્રન્થની પ્રશસ્તિમાં સિદ્ધષિ પોતાની ગુરુપરંપરાની વાત કરતાં નિવૃતિ કુલના સૂર્યાચાર્ય, દેલ્લ મહત્તર અને દુર્ગસ્વામીને ઉલ્લેખ કરે છે. આમાંના દુર્ગસ્વામી મૂળે એક સમૃદ્ધ બ્રાહ્મણ હતા અને પછીથી જૈન સાધુ થયા હતા. એમનું અવસાન ભિન્નમાલમાં થયું હતું. ૨૦ આ પછી કર્તા બહુમાનપૂર્વક હરિભદ્રસૂરિને ઉલ્લેખ કરે છે અને એમની પાસેથી પિતાને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થઈ એમ જણાવે છે. આ પુસ્તકમાં અન્યત્ર પણ તેમણે હરિભદ્રસૂરિને “ ધર્મબોધકર ” કહ્યા છે. આ ઉપરથી કોઈ એમ અનુમાન કરવા દોરાય કે હરિભદ્રસૂરિ કદાચ સિદ્ધર્ષિના પ્રત્યક્ષ ગુર હશે. પરંતુ આચાર્ય જિનવિજયજીએ અકાટ પ્રમાણેથી હરિભદ્રસૂરિને જે સમય (ઈ. સ. ૭૦૧-૭૭૧) નક્કી કર્યો છે૧ એ ધ્યાનમાં રાખીએ
૧૮. કથ, Sanskrit Literature, પૃ. ૧૨૪ ૧૯. ૨. છે. પરીખ, ઉપર્યુક્ત, પૃ. ૯૫-૯૬
૨૦. એ જ નગરના જૈન મન્દિરમાં સિદ્ધર્ષિએ પિતાની કૃતિ પહેલી વાર સંભળાવી હતી તથા દુર્ગસ્વામીના શિષ્યસમુદાયમાંની ગણ નામે સાધ્વીએ એની પહેલી નકલ કરી હતી.
૨૧. જુઓ પૂનામાં મળેલી પહેલી પ્રાચ્યવિદ્યા પરિષદના અહેવાલ (ભાગ ૧, પ્ર. ૧૨૪-૩૪) માં શ્રી. જિનવિજયજીને સંસ્કૃત નિબંધ રિમદાવાર્થ સમજનિર્જી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org