________________
પ્રકરણ ૧૪] સંસ્કૃત સાહિત્યમાં ફાળે
[ ૨૩૩ અને વાક્યમાંથી છંદનાં અખંડ ચરણ કેમ રચવાં એની રીતે રજૂ કરે છે. જો કે એકંદરે આ રીત યાંત્રિક છે, તે પણ ઊછરતા કવિઓને એ ઘણાં ઉપયોગી સૂચનો આપે છે તથા કર્તા પોતાની કલામાં કેટલા સુપ્રવીણ હતા અને સાહિત્યશાસ્ત્રના દેવા ઊંડા અભ્યાસી હતા એ આમાંથી જાણવા મળે છે.
૨૭૧, જેસલમેરના બડા ભંડારમાં સં. ૧૨૦૫ માં લખાયેલી “કવિકલ્પલતાવિવેક'ની એક તાડપત્રીય પ્રતિ છે. એના કર્તાનું નામ અજ્ઞાત છે. એમાં મૂળ કારિકાઓ નથી, પણ તે ઉપરની “વિવેક' નામે વૃત્તિ માત્ર છે. વળી કર્તાએ એમ જણાવ્યું છે કે પલ્લવ ” નામે વૃત્તિમાં જે વસ્તુઓનું વિવરણ નથી કર્યું તે આ “વિવેક માં કરીએ છીએ. આ ગ્રન્થ અમરચન્દ્રથી આશરે બે સદી પહેલાં રચાયો છે અને એનાં શબ્દશઃ અવતરણ પણ અમરચન્ટે લીધાં છે. પછીના સમયના અનેક લેખકે ઉપર અમરચન્દ્રની કૃતિની અસર છે. દેવેશ્વરકૃત કાવ્યકલ્પલતા' (ઈ. સ. ના ચૌદમા સિકા આસપાસ) ગ્રન્થની સામાન્ય આજના તથા વિષયનિરૂપણની બાબતમાં એકંદરે અમરચન્દ્રને અનુસરે છે, એટલું જ નહિ, પણ અનેક સ્થળે દેવેશ્વરે અમરચંદ્રમાંથી આખા ને આખા ખડકે ઉતાર્યા છે. નિયમો અને વ્યાખ્યાઓ દેવેશ્વરે શબ્દશઃ ઉતાર્યા છે તથા ઉદાહરણે પણ એના એ જ પુનરાવૃત્ત કર્યા છે. આ અનુસરણ માત્ર કેક કેક સ્થળે નથી, પણ વ્યવસ્થિત છે અને આખાયે ગ્રન્થમાં છે; તે ઉપરથી નિશ્ચિત અનુમાન થાય છે કે દેવેશ્વરે અમરચન્દ્રના પ્રન્થને નજર સમક્ષ રાખીને જ આ રચના કરી હોવી જોઈએ. અમરચન્દ્રના નિરૂપણને કેટલેક અંશ “અલંકારશેખરના કર્તા કેશવમિશ્ર (ઈ. સ. ૧૬મો સંકે) ઉતાર્યો છે. જો કે “અલંકારશેખરમાં કવિશિક્ષા ઉપરાંત સાહિત્યશાસ્ત્રના સર્વસામાન્ય વિષયોની પણ ચર્ચા છે, પરંતુ આખાયે ભારતવર્ષના સંસ્કૃતના વિદ્વાનેમાં કવિશિક્ષાના મુખ્ય પાડગ્રન્થ તરીકે તે અમરચન્દ્રસૂરિત ‘કાવ્યકલ્પલતાની જ પ્રતિષ્ઠા આજ સુધી અજોડ રહી છે.
૪૭. દે, ઉપર્યુક્ત, પુ. ૧, પૃ. ૨૧૨ ૪૮, એ જ, પૃ. ૨૬૧ થી આગળ
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org