________________
૨૧૦ ]
મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમડળ [ વિભાગ ૩
બધી જ માહિતી અન્ય સાધનેમાંથી મળે છે. માત્ર એક વાત તેમાં નવીન છે, અને તે એ છે કે આજીના મન્દિરમાં પ્રતિષ્ઠિત થયેલી નેમિનાથની મૂર્તિ ખંભાતમાં બનેલી હતી. આ બતાવે છે કે મૂર્તિવિધાન અને તે સાથે સબંધ ધરાવતી કલાઓનું ખંભાત એક કેન્દ્ર હોવું જોઇએ. સાહિત્યિક દષ્ટિએ આ રચનામાં કંઈ ખાસ સાહિત્યિક વિશેષતા નથી, પણ ઐતિહાસિક અને ભાષાકીય દૃષ્ટિએ તે નાંધપાત્ર છે, કેમકે વસ્તુપાળના સમયની એક મહત્ત્વની ઘટનાને એમાં તત્કાલીન લેાકભાષામાં વર્ણવવામાં આવી છે.
પ્રકરણ ૧૪ અલ કારગ્રન્થા
"
૨૪૭. સંસ્કૃત કવિતાની પ્રાચીનતા ઈ. સ. પૂર્વે બીજી સહસ્રાબ્દીમાં અથવા તેનીયે પહેલાં ઋગ્વેદ'નાં સૂક્તો રચાયાં હશે ત્યાંસુધી જાય છે, પણ અલંકારશાસ્ત્રની સાથે સંબધ ધરાવતા પહેલા ઉલ્લેખ તા ઈ. સ. પૂર્વે છે અથવા સાતમી શતાબ્દી પહેલાં મળતા નથી. અલંકારશાસ્ત્રના ઉલ્લેખ વેદાંગેામાં નથી તેમજ વૈદિક સંહિતા, બ્રાહ્મણા અથવા પ્રાચીનતર ઉપનિષદોમાં એવા કાઈ અંશેા નથી, જેઓને અલંકાર અથવા સાહિત્યશાસ્ત્રની સાચી ભૂમિકારૂપ ગણી શકીએ.૧ યાકના ‘નિરુક્ત' (ઈ. સ. પૂર્વે ૭૦૦ આસપાસ )માં પૂછ્યું અને લુપ્તા ઉપમાના ઉલ્લેખ મળે છે. ‘ ઉપમા ' શબ્દની વાત કરતાં ‘ નિધૐ ’માં ડ્વ, યથા આદિ અવ્યયેાની વાત કરી છે, અને પેાતાના પુરેાગામીઓ પૈકી ગાગ્યે આપેલી ઉપમાની વ્યાખ્યા યાકે ટાંકી છે.ર આ બતાવે છે કે વેદના સર્વપ્રથમ ઉપલબ્ધ ટીકાકાર યાકનીયે પહેલાં સંસ્કૃત અલંકારશાસ્ત્રનાં કંઈક મૂલત્તŌાનું અસ્તિત્વ હતું. મહાન વૈયાકરણુ પાણિનિએ (ઈ. સ. પૂર્વે ૫૦૦ આસપાસ ) ‘ઉપમા’, ‘ઉપમિત’, ‘સામાન્ય ’, ‘ઉપમાન’ આદિ પારિભાષિક શબ્દો એવી સાહજિકતાથી પ્રયેાજ્યા છે, જે એની પહેલાં પણ એ શબ્દો સર્વસામાન્ય પ્રચારમાં હોવાનું સૂચવે છે, અને બે વસ્તુએ વચ્ચેની તુલનાના ખ્યાલનું વ્યાકરણની દષ્ટએ જે પૃથક્કરણ તેણે આપ્યું છે તે પણ સાદૃશ્યના આલંકારિકાના ખ્યાલની ખૂબ નજદીક આવી જાય છે. કૌટિલ્યનું ‘અર્થશાસ્ત્ર ' સાહિત્યરચનાએના ગુણ્ણાની વાત કરે છે
૧. દે, સ`સ્કૃત પેાએટિકસ, પૃ. ૧, પૃ. ૬-૪
૨. એ જ, પૃ. ૪-૬
૩, એ જ, પૃ. ૬-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org