________________
૨૦૮ ] મહામાત્ય વરતુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ એમ રાસના બે પ્રકારને નિર્દેશ કરે છે. જે રાસ તાળી પાડીને ગાવામાં આવતો તે “તાલારસ ” અને જે ગાતાં હાથમાં ડાંડિયા ( ) રાખવામાં આવતા તે “લકુટારસ ”. આ બીજો પ્રકાર આજે પણ દાંડિયારસ તરીકે ઓળખાય છે. પ્રાકૃત “સુપાસના ચરિત્ર' (ઈ. સ. ૧૧૪૩)ના કર્તા લક્ષ્મણગણિએ રાસ નૃત્યને વિ ૩ત્તાત્રતા રાત એ પ્રમાણે વર્ણવ્યું છે; તાળી પાડીને ગવાતા રાસને એમણે આ જ રીતે ઉલ્લેખ કર્યો છે.
૨૪૪, લેકનૃત્યના એક પ્રકાર તરીકે–તથા પાછળથી સાહિત્યમાં સ્વીકૃતિ પામેલ-રાસ જાહેરમાં પ્રયોગ કરવા માટે હતો એ આ ઉપરથી સ્પષ્ટ થશે. અપભ્રંશ અથવા ઉત્તરકાલીન અપભ્રંશમાં રચાયેલા સંખ્યાબંધ રાસ આપણને ગુજરાતમાંથી મળે છે; એમાં સૌથી જૂની ઉપલબ્ધ રચના તે શાલિભદ્રસૂરિકૃત “ભરત-બાહુબલિ રાસ' (ઈ. સ. ૧૧૮૫) છે. પછીના સમયમાં, જૂની ગુજરાતીમાં આ રાસને પ્રકાર એકવિધ બની ગયો, અને ઉપાશ્રયમાં ગવાતાં જૈન ધર્મકથામાંથી લેવાયેલાં પદ્યાત્મક આખ્યાને એવો એનો અર્થ સામાન્ય રીતે થવા લાગ્યા. આ પ્રકારના સેંકડો રાસ અત્યાર સુધીમાં મળ્યા છે."
વિજ્યસેનસૂરિકૃતિ “રેવંતગિરિ રાસુ” ૨૪૫, રાસ સાધારણ રીતે “ભાસ” (સં. મH) અથવા કડવકમાં જૂની ગુજરાતીના સાહિત્યમાં છે તેમ કેટલીક વાર “ઢાળ'માં વહેંચાયેલું હોય છે. વિજયસેનસૂરિકૃત “રેવંતગિરિ રાસુ માં કુલ ચાર કડવક અને દર કડીઓ છે. પ્રથમ કડવકમાં, મંગલાચરણ પછી, દેવભૂમિ જેવો મનહર સોરઠ દેશ જ્યાં ગિરનાર પર્વત આવે છે એનું કવિ સંક્ષેપમાં વર્ણન કરે છે (કડી ૨-૫), વસ્તુપાળની વંશાવલિ આપે છે, વસ્તુપાળને વિજયસેનસરિએ આપેલા સદુપદેશનું અને એને પરિણામે તેણે કરેલાં સતકોનું વર્ણન કરે છે (કડી ૬-૧૧), અને ગિરનારની તળેટીમાં ખીલેલી વનશ્રી જોઈને યાત્રીસંધને થયેલે આનંદ વર્ણવે છે (કડી ૧૨-૨૦). બીજા અને ત્રીજા કડવકમાં ગિરનાર તીર્થને કેટલાક પ્રાચીન ઈતિહાસ અને ત્યાં વસ્તુપાળે બાંધેલાં મદિરે આદિને વૃત્તાન્ત છે; બીજા કડવકમાં કેટલુંક સુન્દર પ્રકૃતિ
૩. પ્રાગુકાસ, પૃ. પર ૪. મુનશી, ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર, પૃ. ૮૮
પ. આ રાસાઓની વર્ણનાત્મક સૂચિ માટે જ મેહનલાલ દલીચંદ દેસાઈ, “જૈન ગુર્જર કવિઓ, પુ. ૧-૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org