________________
પ્રકરણ ૬ ]
સંસ્કૃત સાહિત્યમાં ફાળે
[ ૧૪૩
છે (ટિ. ૧૮). પેાતાનાં કાવ્યાને શુભ શબ્દોથી અંકિત કરવાની સુપ્રચલિત પરંપરા સંસ્કૃત અને પ્રાકૃત કવિએમાં હતી, અને આપણે જોઇએ છીએ કે ભારવિનું ‘કિરાતાર્જુનીય’ ‘લક્ષ્મી’ શબ્દ વડે, માધનું ‘શિશુપાલવધ’ ‘શ્રી’ વડે, પ્રવરસેનનું ‘સેતુબંધ' ‘અણુરાય' (સં. મત્તુરત્ન) વડે અને રત્નાકરનું ‘હરિવજય' ‘હર' વડે અંકિત થયેલ છે. આવાં ખીજા પણ ઉદાહરણ આપી શકાય.
૧૬૬, પ્રત્યેક સને અંતે આવતી પુષ્પિકાઓમાં ‘ધર્માભ્યુદયને મહાકાવ્ય કહેવામાં આવ્યુ છે;૧૮ આ પુષ્પિકાએ મૂળ કર્તાની જ છે કે કાવ્યની નકલ કરનાર વસ્તુપાળની છે એ આપણે જાણતા નથી; પણ એના વસ્તુના ઉપર આપેલા સાર ઉપરથી જણાશે કે આ પ્રકરણના પ્રારંભમાં સંસ્કૃત મહાકાવ્યનાં જે લક્ષણા આપ્યાં છે એ દૃષ્ટિએ એને મહાકાવ્ય ગણી શકાય નહિ. ખરુ. જોતાં એનું વૈકલ્પિક નામ ‘સંધપતિચરિત’ સૂચવે છે તેમ, આ ચરિત્ર છે. ખાસ કરીને જેનામાં ઐતિહાસિક કે પૌરાણિક વ્યક્તિઓનાં ચરિત્રો રચવાની પદ્ધતિ હતી; એવાં ચિરત્રામાં મુખ્ય છંદ અનુષ્ટુપ રહેતા અને રચના સાદી પુરાણશૈલીએ થતી. જેમાં તીર્થંકરાનાં ચરિત્રોના પણ સમાવેશ થાય છે એવાં, આ પ્રકારનાં કાવ્યાને કેટલીક વાર મહાકાવ્ય' કહેતા. આમ કહેવામાં તાત્પર્ય એ હશે કે આ કૃતિએ મહાપુસ્થેાનાં અથવા જેમને ધાર્મિક દષ્ટિએ મહાન કહી શકાય એવા પુરુષાનાં ચરિત્ર છે. સાહિત્યશાસ્ત્રમાં જેને ‘મહાકાવ્ય' કહેવામાં આવે છે એવી કૃતિઓના કલાવિધાનના અજ્ઞાનને કારણે આવી રચનાઓને ‘મહાકાવ્ય' કહેવામાં આવી હશે એમ માનવું યોગ્ય નથી, મકે માણિક્યચન્દ્ર જેવા સાહિત્યના વ્યુત્પન્ન પડિતે રચેલાં કાવ્યા. દડી આદિએ આપેલાં લક્ષણાને અનુસરતાં નહિ હાવા છતાં એએને ‘મહાકાવ્ય’ નામ અપાયું છે ( પૅરા ૧૮૨ ).
૧૬૭, ‘ધર્માભ્યુદય’ એ બે તીર્થંકરાનાં જીવન સહિત કેટલીક કથાએના સંગ્રહ છે. એના માટે ભાગ સરળ, વહેતી પણ હકીકતાને જ સ્પ કરતી શૈલીએ લખાયેલ હેાઈ લાંબાં વહુના કે ઝાઝાં અલંકરણાને અવકાશ
૧૮. ઉદાહરણ તરીકે જુએ પહેલા સ`ને અંતે—કૃતિ શ્રીવિજ્ઞયસેનસૂરિशिष्यश्री उदयप्रभसूरिविरचिते श्रीधर्माभ्युदयनाम्नि संघपतिचरिते लक्ष्म्यङ्के महाकाव्ये तीर्थयात्रा विधिवर्णनो नाम प्रथमः सर्गः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org