SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ‘ડળ [વિભાગ કું પૂર્ણ હાવા છતાં ગુજરાતની રાજધાનીની જાહેાજલાલીને ખ્યાલ આપી શંક એટલું વિગત-ભરપૂર છે. ખીજી અનેક હકીકતા સાથે કવિએ સહસલિંગ સરાવરની તથા એને કિનારે આવેલા કીર્તિસ્તંભની નોંધ લીધી છે ( શ્લાક ૭૧-૮૧ ). ૧૪૧. ખીજા સમાં મૂળરાજથી માંડી ધાળકાના વાઘેલા લવણપ્રસાદ અને તેના પુત્ર વીરધવળ સુધીના ગુજરાતના રાજાના ઇતિહાસ આપ્યા છે. મૂળરાજ, ચામુંડ, વલ્લભરાજ, દુર્લભરાજ, ભીમ, કહ્યું, જયસિંહ સિદ્ધરાજ, કુમારપાળ, અજયપાળ, મૂળરાજ બીજા અને ભીમદેવ બીજાની રાજકીય કારકિર્દીની તથા એમનાં પરક્રમાની થેડીક કવિત્વમય પંક્તિઓમાં કવિ વાત કરે છે (લાક ૧-૬૧), અને વાધેલા વંશના મૂળ પુરુષ ધવલ અને ગુજરાતના ચૌલુક્ય રાજ્યને દઢ બનાવવામાં ફાળા આપનાર એના પુત્ર અણ્ણરાજ સુધી આવે છે. અર્ણોરાજના પુત્ર લવણુપ્રસાદ અને પૌત્ર વીરધવલના વૃત્તાન્ત સ્વાભાવિક રીતે જ કવિ વધારે વિસ્તારથી આપે છે. એમણે વસ્તુપાળ અને તેજપાળને પેાતાના મંત્રી તરીકે પસંદ કર્યા હતા. લવણુપ્રસાદે પેાતાના ખડ્ગથી નડુલના સ્વામીને હણ્યા હતા. એના સુરાજ્યમાં ચારીનું નામ નહાતું; માત્ર એ પોતે જ શત્રુ રાજાઓની પ્રીતિનું હરણ કરતા હતા. એના પુત્ર વીરધવલ પોતાના પિતાની આકૃતિનું એટલું સામ્ય ધરાવતા હતા કે જાણે દર્પણમાં પડેલું એનું પ્રતિબિંબ ન હાય ! (શ્લાક ૬૬-૭૭) એક વાર પ્રભાતે નિદ્રામાંથી જાગીને લવણુપ્રસાદે રાત્રિએ પેાતાને આવેલા સ્વપ્નની વાત કહેવા માટે પુરાહિત સામેશ્વરદેવને (અર્થાત્ કવિને) એલાવ્યા. પુરહિતે આવીને આશીયન ઉચ્ચાર્યાં અને તે આસન ઉપર એડે!, એટલે પુત્ર વીરધવલને સાથે રાખીને લવણુપ્રસાદે સ્વમ કહેવા માંડયું (શ્લોક ૮૩-૮૬) : “ રાત્રે હું કૈલાસ પર્વત ઉપર ચડયા અને ત્યાં પ્રત્યક્ષ શિવની પૂજા કરી. શિવની પૂજા સંપૂર્ણ કરીને હું સમાધિમાં લીન થયા ત્યાં ચન્દ્ર જેવા મુખવાળી, રાકા જેવા સૌન્દવાળી, શ્વેત વસ્ત્રોમાં સજ્જ થયેલી, શ્વેત તિલકવાળી અને હાથમાં શ્વેત માળા ધારણ કરેલી એક સ્ત્રીને મેં જોઈ. આશ્ચય પામીને મેં પૂછ્યું કે ‘તું કાણુ છે? કાની છે? અને અહીં ક્રમ આવી છે?' તેણે ઉત્તર આપ્યા કે હું વીર ! હું ગુર્જર રાજ્યની લક્ષ્મી છું અને શત્રુઓથી અત્યંત દુ:ખી થયેલી છું. અરે ! એ ગુજરેન્કો અને કુંજરેન્દ્રો શત્રુઓ વધુ હણાઈ ગયા છે, જેમના ભુજોમાં અને તેામાં મારે નિવાસ હતા. આજે જે આલ અથવા મૂર્ખ રાજા રાજ્ય કરે છે એ શત્રુમંત્રીએ કે માંડિલકામાં ક્રમ કે પરાક્રમ સૈન્યાને ખાળવાને સમર્થ નથી. એના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy