________________
૧૦૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ એ ગચ્છના આચાર્યોની એક પદ્યમય પટ્ટાવલિ, મહેન્દ્રસૂરિથી આરંભીને આપી છે, આથી એમાં આપેલું વર્ષ વિશ્વાસપાત્ર ગણું શકાય.
(૯) ઉદયપ્રભસૂરિ गुरोस्तस्याशिषां पात्रं सरिरस्त्युदयप्रभः । मौक्तिकानीव सूक्तानि भान्ति यत्प्रतिभाम्बुधेः ।।
–સોમેશ્વર૧૨૭ ઉદયપ્રભસૂરિ—વિજયસેનસૂરિના પટ્ટશિષ્ય ૧૧૫. ઉદયપ્રભસૂરિ એ વિજયસેનસૂરિના પટ્ટશિષ્ય હતા. એમને વિવિધ શાસ્ત્રોનું શિક્ષણ આપવા માટે વસ્તુપાળ દૂરદૂરના પ્રદેશમાંથી પ્રસિદ્ધ વિદ્વાનને નિમંત્ર્યા હતા. એ ઉપરથી જણાય છે કે વસ્તુપાળ કરતાં તેઓ વયમાં ઠીક ઠીક નાના હતા.૧૨૮ ઉદયપ્રભને આચાર્યપદ અર્પણ કરવાને સમારંભ વસ્તુપાળે ભારે ખર્ચ કરીને કેજો હતો.૧૨૯
ઉદયપ્રભની સાહિત્યકૃતિઓ ૧૧૬. ઉદયપ્રભસૂરિની મુખ્ય કૃતિ એ એમનું ધર્માસ્યુદય મહાકાવ્ય” અથવા “સંધપતિચરિત્ર” છે. એની રચના ઈ. સ. ૧૨૨૧ની વસ્તુપાળની સૌથી મોટી સંઘયાત્રા પ્રસંગે થઈ હશે એમ અનુમાન થાય છે, જે કે કર્તાએ તે રચનાવર્ષ આપ્યું નથી કે અમુક ચોક્કસ સંઘયાત્રાને પણ નિર્દેશ કર્યો નથી. ગમે તેમ પણ, ઈ. સ. ૧૨૩૪ (સં. ૧૨૯૦ ) પહેલાં એની રચના થઈ હતી એ નિશ્ચિત છે, કેમકે એ વર્ષમાં વસ્તુપાળના હસ્તાક્ષરમાં નકલ થયેલી એની તાડપત્રીય પ્રતિ ખંભાતના જૈન ગ્રન્થભંડારમાં સચવાયેલી છે. ઉદયપ્રભસૂરિનું ‘નેમિનાથ ચરિત્ર” (જિરકે, પૃ. ૨૧૭; જૈસાઈ, પૃ. ૩૮૬) એ કોઈ સ્વતંત્ર કૃતિ નથી, પણ એમના “ધર્માભ્યદયને જ ભાગ (સર્ગ ૧૦–૧૪) છે. “નેમિનાથચરિત્ર”નું પ્રસ્થાચ ૨૧૦૦ શ્લેક આપવામાં આવ્યું છે (જિક, પૃ. ૨૧૭), અને “ધર્માલ્યુદય ’ના ઉપર્યુક્ત પાંચ સર્ગોનું ગ્રન્થાગ ૨૧૨ શ્લેક છે. લહિયાઓની નિષ્કાળજીને લીધે અહીંતહીં થોડાક શ્લેકેને તફાવત પડે એ વસ્તુ જેમાં પ્રસ્થાગ્ર લગભગ સરખું ગણાય, અને નેમિનાથચરિત્ર” એ “ધર્માલ્યુદય ને એક ભાગ છે એવા ઉપયુક્ત કથનને ૧૨૭. “આબુપ્રશસ્તિ ”, બ્લેક ૭ ૧૨૮. પુપ્રસં, પૃ. ૨૪ ૧૨૯. વચ, ૭, પ્લેક ૬૦-૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org