________________
૯૨ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ વેદવિદ્ તરીકે વર્ણવે છે, અને “કાવ્યકલ્પલતા માંથી બ્રાહ્મણશાસ્ત્રો ઉપરનું અમરચન્દ્રનું અસાધારણ પ્રભુત્વ છતું થાય છે. જૈન સાધુ થયા છતાં અમરચન્દ્ર પૂર્વપરંપરાગત બ્રાહ્મણુધર્મના સંસ્કારવારસા માટે ગૌરવ અનુભવતા હશે એમ સ્પષ્ટ જણાય છે. દીક્ષા પછીના અમરચન્દ્રના જીવન વિશે આપણને કેટલીક હકીકતો મળે છે, પરંતુ એ હકીકતો વિલક્ષણ ચમત્કારોના વૃતાતો સાથે વણાઈ ગયેલી છે. “પ્રબન્ધકેશ ૧૦૩ નેધે છે કે જિનદત્તસૂરિના શિષ્ય અમરચન્દ્રને કવિરાજ અરિસિંહ પાસેથી સિદ્ધસારસ્વત મંત્ર પ્રાપ્ત થયે હતા. વાયડ ગછના ભકત પદ્મ મંત્રીના વિશાલ સદનના એક ભાગમાં એકાન્તમાં એકવીસ દિવસ સુધી આ મંત્રને અમરચન્દ્ર જાપ કર્યા પછી મધ્યરાત્રિએ દેવી સરસ્વતી ચન્દ્રના બિંબમાંથી નીકળી આવીને તેની આગળ પ્રત્યક્ષ થઈ અને સર્વ નરપતિઓથી પૂજ-ગૌરવિત સિદ્ધ કવિ થવાનું એને વરદાન આપ્યું. “પુરાતનપ્રબન્ધસંગ્રહ ૧૦૪ જણાવે છે કે અમરચન્ટે કોઈ વિદ્વાનને ઘાતક રોગમાંથી બચાવ્યો હતો અને એથી તેણે અમરચન્દ્રને સિદ્ધ સારસ્વત મંત્ર આપ્યો હતો. ગમે તેમ, પણ આપણે એમ માની શકીએ કે એક વિદ્વાન–અર્થાત અરિસિંહ–જેના ઉપર અમરચન્ટે કંઈક ઉપકાર કર્યો હતો તેણે કાવ્યકલામાં અમરચન્દ્રને પ્રવેશ કરાવ્યો હતો. - વિસલદેવના દરબારમાં અમરચન્દ્ર અમરચન્દ્ર અને અરિસિંહ
૧૦૩, “ પ્રબન્ધકાશ” નોંધે છે કે આ પછી અમરચન્દ્ર ઘણું ગ્રન્થ રચ્યા અને કવિ તરીકે તેઓ વિખ્યાત થયા; અને મહારાષ્ટ્રને રાજા તથા બીજા કેટલાક રાજાઓ તેમનું સંમાન કરતા હતા. અમરચન્દ્રની કીર્તિ સાંભળીને રાજા વિસલદેવે મંત્રી વૈજલ દ્વારા એમને પિતાના દરબારમાં આવવા નિમંચ્યા હતા. દરબારમાં પ્રવેશતાં જ બે કવિત્વમય લૅક દ્વારા અમરચન્દ્ર વિસલદેવની સ્તુતિ કરી. ત્યાં પછી અમરચન્દ્રના શીઘ્રકવિત્વની પરીક્ષા કરવામાં આવી, અને સામેશ્વર, વામનરથલીના સોમાદિત્ય, કૃષ્ણનગરના કમલાદિત્ય, નાનાક અને બીજા કવિઓએ સમસ્યાઓ આપી, અને અમરચન્દ્ર કવિત્વપૂર્ણ બ્લેક રચનાઓ દ્વારા એ સમસ્યાઓની પૂર્તિ કરી. “પ્રબન્ધકાશ” લખે છે કે અમરચન્દ્ર આ પ્રમાણે ૧૦૮ સમસ્યાઓની પૂર્તિ કરી; સભાજને એટલા ચકિત થઈ ગયા હતા કે સભા ઠેઠ સાંજ સુધી બેઠી અને રાજાએ કવિ સાર્વભૌમ તરીકે અમરચન્દ્રને રવીકાર કર્યો. ૧૦૫ અમરચન્દ્રને
૧૦૩. પ્રકે, પૃ. ૬૧ ૧૦૪. પુપ્રસં', પૃ. ૭૮ ૧૦૫. પ્રકે, પૃ. ૬૨-૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org