________________
મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ
ચોાવીર વસ્તુપાળના ગાઢ મિત્ર
C
૯૦. યશાવીર વસ્તુપાળને ગાઢ મિત્ર હતા. આ બન્ને મિત્રોની પ્રશસા સામેશ્વરે સરસ્વતીના બે પુત્ર! ' તરીકે કરી છે ( વસ્તુપાજીચોવીનૈ સત્ય વાāવતાવુતો ).૬૬ યશેાવીર જૈન વિષ્ણુક હતા, જો કે વિકમાં કઈ જ્ઞાતિના હતા એ જાણવામાં નથી. જાબાલિપુર (જાલેાર) ના ચૌહાણ રાજા ઉદયસિંહના એ મત્રી હતા.૬૭ ‘ કાર્તિકૌમુદી ’એ પણ · ચાહમાનેન્દ્રમંત્રી ’=ચૌહાણુ રાજાના મંત્રી તરીક એના ઉલ્લેખ કર્યો છે;૧૮ જો કે રાજાનું નામ આપ્યું નથી. જયસિંહસૂરિષ્કૃત ‘ હમ્મીરમદમન ' નાટક (૫-૪૮)માં વસ્તુપાળ પોતાના વડીલ બંધુની જેમ યશેાવીરનું સંમાન કરતા હેાવાનું વર્ણન છે. એ જ નાટકને આધારે જણાય છે કે ગુજરાત ઉપર થયેલું મુસ્લિમ આક્રમણુ પાછું ખાળવાની વસ્તુપાળની યેાજના (જે · હમ્મીરમદમર્દન ' ના વિષય છે) સફળ બનાવવામાં યશેાવીરે તેજપાળને ધણી સહાય કરી હતી અને એ વિશે બધી અગત્યની બાબતામાં તેજપાળ યશાવીરની સલાહ લેતા હતા, કેમકે મારવાડ અને મેવાડ એ સમયે યુદ્ધભૂમિ બન્યાં હતાં ( હમમ, ૫-૪૩ અને પૃ. ૫૪). યશેાવીરે કાતરાવેલા 'શિલાલેખામાંથી જણાય છે કે એના પિતાનું નામ ઉયસિંહ હતું. પુરાતનપ્રબન્ધસંગ્રહ 'માં એના પિતાનું નામ દુસાજ આપ્યું છે, અને ‘ દુસાજુત્ર ( દુસાજના પુત્ર ) તરીકે એના ઉલ્લેખ કરતા, ચારણ્ણાએ કરેલા એની પ્રશંસાના અપભ્રંશ દૂહા પશુ ત્યાં આપવામાં આવ્યા છે (જુઓ પૅરા ૯૩).
6
૬૯ 6
આ ઉપરથી અનુમાન થાય છે કે દુસાજ એ યશેાવીરના પિતા ઉદયસિંહનું ખીજું નામ હાય.૭૦ યશેાવીરની પત્નીનું નામ સુહગદેવી હતું; એને પાંચ પુત્રા હતા, જેમાંથી એક માત્ર કર્મસિંહનું જ નામ જાણવામાં છે.
પ્રકરણ ૫ ]
*
૬૬. એ જ, ૧-૨૯
૬૭. વચ્ચે, ૭; પુપ્રસ’, પૃ. ૪૯
૬૮. કીકી, ૧-૨૮
૬૯. પ્રાર્જલેસ', નં. ૧૦૮, ૧૦૯, ૨૧૩
Jain Education International
[ ૮૩
,
૭૦. પુપ્રસ, પૃ. ૫૦-૫૧. જે યોાવીરના આશ્રયે · પ્રબુદ્ધ્રૌહિણેય ' નાટક ભજવાયું હતું (પૅરા ૭૮) તેનાથી આ મંત્રી યોાવીર ભિન્ન છે. એ યશેાવીર પાસુને પુત્ર અને મ`ત્રી યશેાવીરના વૃદ્ધ સમકાલીન હતા અને જે ચૌહાણ સિંહને આપણા ચશાવીર મંત્રી હતા એના પિતા સમરિસંહના સમયમાં વિદ્યમાન હતા. (માર્જલેસ', નં. ૩૫૨; જૈસાઈ, પૃ. કર૫ ટિ. )
For Private & Personal Use Only
>
www.jainelibrary.org