________________
| મુ. લોદરા ૧૬, અમદાવાદ તત્ર સુશ્રાવક વિદ્યાર્થી.... યોગ્ય ધર્મલાભ. વિશેષ શુદ્ધ હવા, શુદ્ધ જલ, સાત્ત્વિક ખોરાક અને સાત્ત્વિક વિચાર, કસરત અને ભૂખ લાગે ત્યારે ભોજન કરવું, એવા નિયમથી શરીર આરોગ્ય જાળવો. પ્રાણાંતે અસત્ય ન બોલો, તમે યુવાવસ્થામાં પ્રવેશ પામ્યા છો. વિદ્યાભ્યાસ પર્યત મનવાણી કાયાથી બ્રહ્મચર્ય જાળવો. કામાદિ અશુભ વિચારોને મનમાં પેસવા ન દો. પ્રમાણિકપણે વર્તો. નિયમિત રીતે અભ્યાસાદિ કર્તવ્ય કરો. વિષયની વૃત્તિયોને ઉશ્કેરે એવું કોઈપણ પુસ્તક ન વાંચો અને એવી કોઈ તરફની વાત પણ શ્રવણ ન કરો. કોલેજના મિત્રોની સાથે નકામાં ગપ્પાં ન મારો. નકામાં ઉડાઉ ખર્ચ ન કરો, કુમિત્રની સંગતિ ન કરવી. પોતાની ઘરની સ્થિતિનો વિચાર કરવો. રાત્રી કરતાં દિવસે વિશેષ વાંચો, રાત્રીમાં મનન કરો. રાત્રીમાં દીપકના આશ્રયથી વાંચન અત્યંત અલ્પ કરો વા બંધ કરો. પા કલાક વાંચો તો એક કલાક તેજ બાબતનું મનન કરો. ચિંતા શોકના વિચારોને પ્રગટવા ન દેવા. માબાપનો ઉપકાર ન ભૂલો. પ્રાચીન જૈન આર્યધર્મનું રહસ્ય સમજ્યા વિના કોઈપણ મત ન બાંધો. વસ્ત્ર વગેરેમાં અલ્પ ધન વ્યય કરો. દેવગુરૂ ધર્મની શ્રદ્ધામાં દઢ રહો. શુદ્ધ પ્રેમ, શ્રદ્ધા, ઉત્સાહ ઉદ્યમથી વર્તમાન કાલીન કર્તવ્યોમાં તત્પર રહેવું.
મુ. વિજાપુર લે. બુદ્ધિસાગર
સં. ૧૯૭૭ ભાદરવા સુદી ૭ ૧૭. શ્રી મુંબાઈ તત્ર સુશ્રાવકભાઈ મોહનલાલ નગીનદાસ છે ભાંખરીઆ યોગ્ય ધર્મલાભ.
શ્રી કૃતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
(૬૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org