SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ સમાધિ નવાગામ. અ. વ. ૯, સં. ૨૦૨૧ જ્ઞાનાદિ ગુણાગણ વિભૂષિત પૂ. પં. પ્ર. શ્રી કાંતિવિજયજી ગણિવર જોગ. લી. સેવક ભદ્રંકરની કોટિશ વંદનાવલી આજે પાટણથી ચીમનભાઈના પત્ર દ્વારા જાણ્યું છે કે આપનું શરીર દિન-પ્રતિદિન નબળું થતું જાય છે અને પ્રવાહી પણ બરાબર પાચન થઈ શકતું નથી. તેની આપના ચિત્ત પર કોઈ અસર નથી અને આરાધનામય સમય પસાર થઈ રહ્યો છે તે જાણીને આનંદ થયો છે. વળી ત્યાં પૂજ્યપાદશ્રીની નિશ્રા હોવાથી ચિત્તની સમાધિ સુંદ૨ જળવાય રહે એ સ્વાભાવિક છે. છતાં પુદ્ગલ પુદ્ગલના ધર્મ બજાવે અને તેથી શારીરિક પીડા વિગેરેનો અનુભવ પણ થાય. તે વખતે પરિપૂર્ણ શાંતિ જળવાઈ રહે અને આત્મભાવમાં સારી રીતે સ્થિર કહી શકાય એ માટે એક ગાથા નીચે લખી છે તેં રટણ ખૂબ શાંતિ આપશે. કર્મયોગે દેહનો સંબંધ છૂટી જાય તો પણ આ ગાથાનું રટણ આત્માને ઉત્તરોત્તર પ્રગતિ કરાવી શાશ્વત સ્થાન સુધી પહોંચાડવાનું સામર્થ્ય ધરાવે છે. તીવ્રમાં તીવ્ર વેદના વખતે પણ આ ગાથા પરમશાંતિ અને સમાધિ આપનારી થાય છે એવો વર્તમાનકાળે પણ અનેક અનેક આરાધક આત્માઓનો અનુભવ છે. શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ Jain Education International ૧૭૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005259
Book TitleJain Patra Sahitya Part 02
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2003
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy