SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ આવુ અત્યંત ઉપયુક્ત અને પરમેાપકારી સાહિત્ય પ્રગટ કરવાની પરમ આવશ્યકતા સ્વ॰ ગુરૂદેવના પટ્ટશિષ્ય વિદ્યાવલ્લભ ઈતિહાસતત્ત્વમહેાધિ આચાર્ય શ્રી વિજયસૂરિજીને ઘણાં વર્ષો થયાં પ્રતીત થઈ છે. આચાર્યશ્રીને સ્વ॰ ગુરૂદેવ પ્રત્યે અનન્ય પૂજ્યભાવ છે. તે ગુરૂદેવની મૂર્ત્તિમંત છાયારૂપ છે. આજે પણ તે જીવનની સ પ્રવૃત્તિએમાં પોતાના માન્ ગુરૂનુ જ અનુસરણ કરે છે. આચાર્યશ્રી પેાતાના ગુરૂદેવના પરમભક્ત છે. તેમનુ જૈનધર્મ અને જૈન વાઙમયનું જ્ઞાન અદ્વિતીય છે. તેમણે અપૂર્વ ભાગ અને નિઃસ્વાર્થ ભાવે પેાતાનાં જ્ઞાનને અદ્યાપિ સત્ર પુષ્કળ પ્રચાર કર્યા છે. તેમના પત્રા પાશ્ચાત્ય વિદ્વાનેાને અત્યંત માદાયી થઈ પડ્યા છે. તેમનાથી મળેલાં અનેક અમૂલ્ય પુસ્તકાથી એ વિદ્વાનોને અનેરો લાભ પણ થયા છે. સ્વ આચાર્ય મહારાજશ્રીના જીવન દરમીયાન પણ જૈનધર્મ અને સાહિત્યનાં પુસ્તકા અને પત્રવ્યવહારદ્વારા પ્રચાર કરાવવામાં આચાર્યશ્રીએ મૂકપણે અદ્ભુત કામ કર્યું અને હાલ પણ એ જ રીતે પોતાનુ કાર્ય કયે નય છે. એમની જ ઉત્તેજક પ્રેરણાથી, સ્વ॰ આચાર્ય મહારાજશ્રીને સુપ્રસિદ્ધ પૌર્વાત્ય વિદ્વાન પ્રા. હ`ન જૅકાબી ઉપરના એક અત્યંત મનનીય અને વિસ્તૃત પત્ર અને શ્રી હ`ન જેકાણીના બે પત્રો પ્રથમ પ્રગટ કરવાનું નિશ્ચિત થયુ. એ નિશ્ચયને પરિણામે મી. ગિરધરલાલ ડુંગરશી શેઠે કરેલા એ પત્રોના અનુવાદ સાથે, મૂળ ત્રણે પા આ પુસ્તકમાં આપવામાં આવ્યા છે. ત્રણે પા જિજ્ઞાસુઓને ખેાધક નીવડરો એવી નમ્ર અભિલાષા સાથે વિરમીએ છીએ. ગ્રંથમાળા આફીસ, હૅરીસરાડ ભાવનગર તા. ૧-૧-૩૬ Jain Education International } For Private & Personal Use Only પ્રકાશક. www.jainelibrary.org
SR No.005231
Book TitleJain Dharm nu Utkrushta Swarup
Original Sutra AuthorN/A
AuthorYashovijay Jain Granthmala
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy