________________
લબ્ધિવાળા, બે લાખ અઠ્ઠાણું હજાર શ્રાવક, પાંચ લાખ પસ્તાલીસ હજાર શ્રાવિકા જેવડો વિશાળ પરિવાર તે થયો.
આ પછી નિર્વાણ સમય નજીક આવેલો જાણી પ્રભુ સમેતશિખર પર્વતે આવ્યા. તીર્થંકર પરમાત્મા હંમેશા નિર્વાણકાળ નજીક આવવાની વાત જાણતા હોય છે. શ્રી અજિતનાથ પ્રભુએ આ રીતે બોતેર લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ થતાં એક હજાર સાધુ સાથે અનશન શરૂ કર્યું. ઈન્દ્રનું આસન આ સમયે પણ ચલાયમાન થયું. પરમાત્માનાં દરેક કલ્યાણકો ઈન્દ્ર દ્વારા ઉજવાય છે. અનશનને એક માસ પૂરો થયો ત્યારે ચૈત્ર સુદ પાંચમને દિવસે ચંદ્ર જ્યારે મૃગશિર નક્ષત્રમાં આવ્યો ત્યારે પ્રભુ નિર્વાણ પામ્યા. દેવતાઓ તેમના દેહનો અગ્નિસંસ્કાર કરી નિર્વાણ મહોત્સવ ઉજવવા નંદીશ્વર દ્વીપમાં ગયા. ત્યાં વિધિપૂર્વક તેમજ પૂર્ણ ભાવપૂર્વક નિર્વાણ કલ્યાણક ઉજવ્યું.
આ રીતે શ્રી અજિતનાથ અઢાર લાખ પૂર્વ કુમાર અવસ્થામાં, ત્રેપન લાખ પૂર્વ ઉપરાંત રાજા તરીકે, બાર વર્ષ છદ્મસ્થપણામાં અને એક લાખ પૂર્વમાં ઓછો સમય કેવળીપણે વિચર્યા. આમ કુલ બોતેર લાખ પૂર્વનું આયુષ્ય ભોગવીને શ્રી અજિતનાથ ભગવાન, શ્રી ઋષભદેવ પરમાત્મા પછી પચાસ લાખ કરોડ સાગરોપમના આંતરે થયા.
શ્રી અજિતનાથ પ્રભુના ચરિત્રગઠનમાં પ્રભુની મહાનતા ઘટાવવામાં કોઈ અવિનય થયો હોય અથવા શાસ્ત્ર વિરૂદ્ધ અર્થઘટન થયું હોય તો ક્ષમા પ્રાર્થી આ સાથે બીજા તીર્થંકર પરમાત્મા શ્રી અજિતનાથ ભગવાનનું ચરિત્રલેખન પૂર્ણ કરું છું.
suuuuuuN
૪૭)vuuurn
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org