________________
દેવના વચનો સાંભળી પ્રધાન વગેરેએ એ રીતે જ તે વચનોનું પાલન કર્યું. પરંતુ દેવે તેની શક્તિથી ઓછા આયુષ્યવાળા કરી દીધા. પ્રજાએ તથા પ્રધાનોએ હરિનો રાજ્યાભિષેક કર્યો. અંતે પોતે લીધેલા બદલા માટે દેવ આનંદ અનુભવતો પોતાને સ્થાને ગયો. હિર રાજાના નામથી તે વંશ હરિવંશ તરીકે ઓળખાયો. તેને પૃથ્વીપતિ નામે પૂત્ર થયો. હરિ રાજા અને હરિણી રાણી અંતે ક્ષેત્રના કા૨ણે પાપકર્મો આચરી નરક ગતિ પામ્યાં.
પૃથ્વીપતિ રાજા તરીકે આવ્યા પછી તેના વંશમાં મહાગિરિ, હિમગિરિ, વસુગિરિ, ગિરિ, મિત્રગિરિ જેવા અનેક રાજાઓ થયા. આ રીતે ભરતક્ષેત્રમાં ત્યારથી હરિવંશ સ્થપાયો. જેમાં સુમિત્ર રાજાના પુત્ર તરીકે વીસમા તીર્થંકર મુનિસુવ્રત સ્વામી થયાં.
અજ્ઞાનીઓને જ્ઞાનરૂપી ચિંતામણી રત્ન અને અમૃતરૂપી મોક્ષફળની પ્રાપ્તિ થાય એવા સમક્તિ વચનની ગંગા વહેતી કરનાર પ્રભુ મુનિસુવ્રત સ્વામીનું ચરિત્ર અહીં પુરું થાય છે.
A➖➖➖➖
Jain Education International
步
---
.....
For Private & Personal Use Only
www.jainelibrary.org