________________
પુસ્તિકામાં આપવામાં આવેલ છે. આ અંગે પૂ. આચાર્યદેવ તથા પ્રકાશક સંસ્થા આગામે દ્ધારક ગ્રંથમાળાને ઋણી છું. બ્લેક બનાવવા માટે ફટાઓ પણ પૂ. આચાર્યદેવે આપેલ છે. તે માટે તેમને આભારી છું.
પૂ. આ. શ્રી કંચનસાગરસૂરિ મ. શ્રીએ આ પુસ્તિકા સાવંત તપાસી આપી છે, તે માટે તેઓશ્રીને ઋણું છું. આ પુસ્તિકામાં આપેલ સિદ્ધગિરિસ્તવઃ પૂ. આ. શ્રી કંચનસાગરસૂરિ મ., પૂ. આ . શ્રી હેમચંદ્રસૂરિ મ., પન્ના રૂપમાં ચાતુમાસ સ્થિત પૂ. મુનિ શ્રી અરવિંદવિજયજી મ. પૂ. મુનિરાજશ્રી મહાબોધિવિજયજી મ. પં. શ્રી છબીલદાસ કેશરચંદ સંઘવી આદિએ તપાસી છંદની દૃષ્ટિએ જે સૂચનો કરેલ તે પ્રમાણે સુધારે કર્યો છે, તે માટે તેઓશ્રીને આભારી છું.
આ પુસ્તિકા પૂ. પં શ્રી અભયસાગરજી મ.ના શિષ્યરત્ન પૂ. ગણિવર શ્રી અશોકસાગરજી મહારાજશ્રીએ પ્રસિદ્ધ કરવા માટે તત્પરતા દાખવી તે માટે તેઓશ્રીને અત્યંત આભારી છું. આ ગ્રંથનાં પ્રકાશનને બધે ખર્ચ શ્રી જેને આત્માનંદ સભાએ આપી જે શ્રુતભક્તિને લાભ લીધે છે તે અત્યંત અનુમોદનીય છે.
વાચકે આ ગ્રંથનું સારી રીતે વાંચન કરી ગિરિરાજની પવિત્ર ભૂમિની યાત્રા કરી, પૂર્વના મહાપુરુષોએ પ્રતિષ્ઠિત કરેલ ચૈત્યને વંદના કરી મનવચન-કાયાથી નિર્મળ બની પિતાના સમ્યકત્વ ગુણને નિર્મળ બનાવી, કર્મક્ષય કરી શીધ્રપણે સિદ્ધિપદને પામે. એવી અંતરની અભિલાષા!
લિ. છે. ગરાવાડી, વારેવાસદન ) કપૂરચંદ રણછોડદાસ વારૈયા પાલિતાણા તા. ૧-૧-૮૩
અધ્યાપક શ્રી જૈન શ્રેયસ્કર મંડળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org