________________
સાત મિત્રોએ ભેગા થઈ સંવત : ૨૦૩૮ આતા સુદ – ૧૦ બુધવાર તા.૨૭૧૦-૮૨ના રોજ શ્રી મહાવીર સ્મૃતિ મંડળની સ્થાપના કરી. શ્રી શાંતિલાલ માણેકલાલ પાલખીવાળા પાસે પ્રથમ મંગલદીપ પ્રગટાવ્યો. મંડળના પ્રમુખો -
શ્રી શાંતીલાલ માણેકલાલ પાલખીવાળા તથા શ્રી રસિકલાલ ભોગીલાલ વકીલની દોરવણી નીચે મંડળે સારી પ્રગતિ કરી. હાલમાં મંડળના પ્રમુખ શ્રી અશોકભાઈ ચન્દ્રકાન્ત ગાંધી છે. જ્યારે શ્રી માંગલ્ય સેવા કેળવણી મંડળના પ્રમુખ શ્રી અશોકભાઈ શંકરલાલ શાહ છે તથા બન્ને મંડળોના ચેરમેન શેઠશ્રી યુ.એ .મહેતા છે.
૧૪ વર્ષમાં મંડળે સારી પ્રગતિ કરી. ૩૦૬ સભ્ય સંખ્યા ધરાવતી મોટી સંસ્થા બની. સંસ્થાએ પોતાની માલિકીનું મકાન લીધું. જૈન તીર્થોની ૧૯ વિડીયો કેસેટો બહાર પાડી. ટૂંક સમયમાં મંડળ શ્રી રાણકપુર તીર્થ, શ્રી જેસલમેર તીર્થ, શ્રી નાકોડાજી તીર્થ, શ્રી નાગેશ્વર તીર્થ, શ્રી ઉવસગ્ગહર તીર્થની વિડીયો કેસેટો બહાર પાડશે.
મંડળ તરફથી બાળકોની પાઠશાળા ચાલે છે જેમાં ૪૫ બાળકો ભણે છે. જેનું સચાલન શ્રી રાજુભાઈ કાપડીયા સંભાળે છે. મંડળ તરફથી ધાર્મિક સંગીત ક્લાસ ચાલે છે કેનું સંચાલન શ્રી રાજુભાઈ ગાંધર્વ સંભાળે છે. જ્ઞાનભંડાર ટૂંક સમયમાં ચાલુ થશે. ધાર્મિક તથા સંસ્કારી વાંચનના પુસ્તકો મંડળને ભેટ મોકલી આપશો. સાધર્મિકોને અનાજ-દવા આપવાની પ્રવૃત્તિઓ ચાલે છે. આભાર (૧) અનેક ગ્રંથો તથા પુસ્તકોના આધારે આ પુસ્તક તૈયાર કર્યું છે. તો તેના લેખકો તથા
સંપાદકોનો આભાર. પુસ્તક પ્રકાશન કાર્યમાં દાન આપનાર દાતાઓનો – આભાર પુસ્તકમાં લેખો છાપવા આપવા માટે પ.પૂ.આચાર્યદેવ શ્રી મિત્રાનંદસૂરીશ્વરજી
મ.સા. તથા શ્રીમતી સુનંદાબેન વોહોરાનો આભાર. (૪) તીર્થ તથા તીર્થંકર ભગવાનના સુંદર ફોટા પાડી આપવા માટે શ્રી કલ્યાણભાઈ
સી શાહ (શિલ્પી સુડિયો) તથા સુંદર ટાઈટલ બનાવી આપવા માટે જાણીતા
ચિત્રકાર શ્રી જયપંચોલીનો આભાર. (૫) તીર્થકર ભગવંતના ફોટાઓ, દાતાના ફોટાઓ તથા ટાઈટલ સુંદર છાપી આપવા
માટે શ્રી દિપકભાઈ લાલભાઈ શાહ (દીલા પ્રિન્ટર્સ)નો આભાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org