SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ ભારતના મુખ્ય જૈન તીર્થો પેઢી - શ્રી વિજય હિમાચલસૂરિ, કીર્તિસ્તંભ, - ધાણેરાવ - ૩૦૬ ૭૦૪. એ. ફાલના, જિલ્લો - પાલી (રાજસ્થાન), ટે.નં. (૦૨૯૩૪) ૭૩૨૭. (૮) શ્રી નાડલાઈ તીર્થ ખૂબ જ પ્રાચીન તીર્થ છે. શ્રી ધાણેરાવ તીર્થથી આ તીર્થ ૧૩ કિ.મી. દૂર છે. અહીં નાનાં-મોટાં ૧૦ દેરાસરો છે. પર્વત ઉપર બે, તળેટીમાં સાત અને ગામમાં એક. ગામમાં પેસતાં પ્રથમ શ્રી આદીશ્વર ભગવાનનું મોટું દેરાસર આવે છે. આ દેરાસર વિક્રમ સંવત ૯૫૦ માં શ્રી યશોભદ્રસૂરીશ્વરજી મ.સા. પોતાની વિદ્યાશક્તિથી વલ્લભીપુરથી અહિં લાવ્યા હોવાનું કહેવાય છે. આ ગામ શ્રી નારદજીએ વસાવ્યું હતું. શ્રી કૃષ્ણના પુત્ર શ્રી પ્રદ્યુમને શ્રી નેમિનાથ ભગવાનનું દેરાસર ટેકરી ઉપર બનાવ્યું છે જે યાદવ ટેકરી નામે ઓળખાય છે તથા શ્રી ગિરનાર તીર્થ નામે પણ ઓળખાય છે. બીજી બાજુએ આવેલ ટેકરી ઉપર દેરાસર છે જે શ્રી શત્રુંજય તીર્થ કહેવાય છે. બન્ને ટેકરીઓ વચ્ચેના પહાડોનું સૌંદર્ય ખૂબ જ અનુપમ છે. પહાડ ઉપર જવા પગથિયાં છે. તળેટીમાં સુંદર દેરાસરો છે. આ તીર્થમાં ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. પેઢી - શ્રી નારલાઈ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન - સંઘ, નારલાઈ - ૩૦૬૭૦૩, જિલ્લો - પાલી (રાજસ્થાન) ટે.નં. ૦૨૮૩૪ - ૭૭૨૪ (૯) શ્રી નાડોલ તીર્થ શ્રી નાડલાઈ તીર્થથી શ્રી નાડોલ તીર્થ ૧૧ કિલોમીટર દૂર છે. આ તીર્થ શ્રી સંપ્રતિરાજાના સમય પહેલાનું છે. શ્રી નાડોલ તીર્થમાં પ્રાચીન ચાર દેરાસરો છે. (૧) શ્રી પદ્મપ્રભસ્વામી ભગવાનનું દેરાસર છે. જેમાં મૂળનાયક શ્રી પદ્મપ્રભુસ્વામીની ચેતવર્ણ પ્રતિમાજીછે. પાછળના ભાગમાં શ્રી પાવાપુરી જળમંદિર બનાવ્યું છે. આ મંદિર “રાયવિહાર” નામે ઓળખાય છે. મંદિરની ભમતીમાં એક દેરીમાં શ્યામવર્ણના કસોટીના પ્રાચીન ચૌમુખજી છે. (૨) શ્રી નેમિનાથ ભગવાનનું દેરાસર છે. જેમાં મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનના શ્યામવર્ણના પ્રતિમાજી છે. આ દેરાસરના ભોંયરામાં બેસીને વિક્રમ સંવત - ૩00 પહેલાં આચાર્ય શ્રી માનદેવસૂરીશ્વરજી મ.સા. એ ઉપદ્રવની શાંતિ માટે યોગસાધના કરી “શ્રી લઘુશાંતિ સ્તોત્ર”ની રચના કરી હતી. શ્રી નાડોલ તીર્થથી શ્રી નાડલાઈ સુધી લાંબુ ભોંયરું હતું. તીર્થોના પટો છે. - (૩) શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર છે. (૪) શ્રી જીરાવલા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે. ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy