SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨પ૭ ગિરિરાજ મોક્ષનગરી છે. ત્રીસ ટૂકોનાં દર્શન કરી જ્યારે યાત્રિકો શ્રી પાર્શ્વનાથ ભગવાનની ટૂક ઉપર આવે છે ત્યારે તેમના આનંદ અને ઉલ્લાસની કોઈ સીમા રહેતી નથી. મોક્ષનગરીમાં આવી જાણે સાક્ષાત પરમાત્માઓના દર્શન કર્યા હોય તેવો આનંદ થાય છે. યાત્રિકો ભાવવિભોર બની પરમાત્માની ભકિતમાં લીન બની જાય છે. આ ટ્રક સૌથી ઊંચી ટેકરી ઉપર છે. ૮૦ પગથિયા ચઢીને ઉપર મંદિરમાં જવાય છે. ટૂંક સૌથી ઊંચામાં ઊંચી ટૂક છે, જે દૂર દૂરથી દેખાય છે. વાદળાં હોય ત્યારે ચારે બાજુથી મોટો ઘટાટોપલાગે છે, આથી આટૂકનું બીજું નામ મેઘાડંબર ટૂકપણ કહેવાય છે. વળી, છેલ્લા ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાન અહીં મોક્ષે ગયા છે. જેથી આ ગિરિરાજ પાર્શ્વનાથ પહાડ-પાર્શ્વનાથ હલના નામે ઓળખાય છે. પૂર્વે અહીં ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાન શ્રી સમેતશિખરજીની આ ટ્રક ઉપર ૩૩ મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરી ખગ્રાસને કાઉસગ્ગ મુદ્રામાં શ્રાવણ સુદ-૮ની રાતે પૂર્વ ભાગમાં મોક્ષે ગયા. ત્યારબાદ આનંદદેશના ગંધપુરનગરના રાજા પ્રભસેને વિશસ્થાનકતપ કરી આચાર્ય દિનકરસૂરિના ઉપદેશથી આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો વીસમો ઉદ્ધાર કરાવ્યો અને આ ટૂક ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવાનનો નવોચૌમુખ જિનપ્રાસાદ બનાવ્યો. આ ટૂક ઉપર કુલ ૨૪ લાખ મુનિવરો મોક્ષે ગયા છે. આ ટૂકની નીચે ભોંયરામાં પથ્થરની શિલા છે. જેના ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવાન મોક્ષે ગયા હતા. શિલા ઉપર ભગવાનની ચરણપાદુકા છે. શ્રી સમેતશિખરજી ની યાત્રાની બાધા રાખનાર અત્રે શ્રીફળ ચઢાવે છે. આ શિલા પૂજનીય છે. આ ટ્રક ઉપર ઊંચા શિખરવાળું મોટું દેરાસર છે. જેમાં પુરુ. પાદાનિય શ્રી પાર્શ્વનાથ ભગવાનની શ્યામ ચરણપાદુકા છે. આ શિખરના દૂર દૂરથી આવનાર યાત્રિકોને દર્શન થાય છે. શ્રી પાર્શ્વનાથ ભગવાન આ પહાડને અતિપવિત્ર, એકાન્ત, રમણીય, ધ્યાનાનુકુલ સમજીને વારંવાર આવ્યાં હતાં. આજે પણ જૈન તથા જૈનેતરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન પ્રત્યે ઊડી ભકિત છે. ભગવાનના જન્મદિવસ માગશર વદ-દશમે તથા ફાગણ સુદ-પૂનમે અહીં મેળો ભરાય છે, જેમાં જૈન તથા જૈનતરો મોટી સંખ્યામાં આવે છે. ઉતરાણ શ્રી પાર્શ્વનાથ ભગવાનની સર્વોચ્ચત્તમ ટૂકથી આપણા તીર્થકર ભગવંતો અને મુનિભગવંતોને ભાવયુકત વંદન કરી પાછા મધુવન જઈએ. નીચે ઉતરતાં થોડેક દૂર ડાકબંગલો આવે છે. જ્યાંથી જમણી તરફ નિમિયાઘાટનો રસ્તો છે. ડાબી બાજુનો રસ્તો મધુવન જાય છે. પાછાં વળતાં ગાંધર્વનાળું આવે છે, જ્યાં ભાતું આપવામાં આવે છે. પીવાના પાણીની સગવડ છે. ૧૮ માઈલનો રસ્તો કાપ્યો. પહાડ ઉપરથી નીચે જોતાં મધુવનનાં મંદિરોનો સમુહ જાણે દિવ્યનગરી જેવો લાગે છે. મધુવનનાં બધાં મંદિરોની નિર્માણશૈલી અને કલા અત્યંત દર્શનીય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy