________________
ભગવાન શ્રી ઋષભદેવ
ભગવાન શ્રી ઋષભદેવ સુનંદાબહેન વોહોરા
આદિમં પૃથ્વીનાથં, માદિમં નિષ્પરિગ્રહં, આદિમં તીર્થનાથં ચ, ઋષભસ્વામી નમસ્તુભ્યઃ
તે સમયે અને તે કાળે આજના બુદ્ધિયુગના કોઈ લેખાનું ગણિત ત્યાં ન હતું, કે ન હતા ઇતિહાસના પાને ચઢેલી કોઈ ઘટનાના રહસ્યો. નિર્દોષ અને સરચિત્ત યુગલોનો એ સમય હતો. પુત્ર અને પુત્રીનો એક સાથે જન્મ થતો, સતત સાથે જ વિહરતા અને સાથે જ મૃત્યુ પામતા. તેઓની જિંદગી અત્યંત સુખ અને સંતોષયુકત હતી. કુદરત સાથે તેમનો મધુર સંબંધ હતો.
તેઓ યુગલિક કહેવાતા. તે સમયની સૃષ્ટિનું સર્જન જ એવું હતું કે માનવ સ્ત્રી પુત્ર-પુત્રીને જન્મ આપતી, પક્ષી બે ઈંડાને સેવતા, પશુ પણ બચ્ચાંની જોડને જન્મ આપતા. એમનો જીવન વિકાસ પણ ઘણો ઝડપી હતો. કોઈ એકલું ન હતું તેથી વિયોગનું દુઃખ આવતું નહિ. કોઈ તેમને અલગ કરી શકતું ન હતું. તેઓ જન્મથી જઅભિન્ન હતા. વસંતૠતુની જેમ આનંદ અને કિલ્લોલથી સૌ જીવતા. વળી તેમને ન કમાવાની કે રાંધણકાર્યની જરૂર રહેતી તેથી પરિગ્રહના પાપ અને મૂર્છા પણ તેમનામાં ન હતાં.
દીર્ઘ આયુષ્યવાળા આવા યુગલિકો સુવર્ણમય સોનાના સુમેરુ પર્વતની તળેટીમાં સ્વૈર વિહાર કરતા, છતાં નિર્દોષતા હતી, તેમને ધારણ કરતી ધરા પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org